૧૦ લાખ ખેડૂતોને ભેગા કરવાનો હુંકાર: જેતપરમાં ભાજપ મંત્રીના ભાઈનો આક્રોશ
૧૦ લાખ ખેડૂતોને ભેગા કરવાનો હુંકાર: જેતપરમાં ભાજપ મંત્રીના ભાઈનો આક્રોશ
Published on: 30th July, 2026

મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા 'ગુજરાત ખેડૂત સત્યાગ્રહ' આંદોલનમાં ઉગ્રતા આવી છે. ભાજપના મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ અને આંદોલનકારી નેતા કાળુ અમૃતિયાએ સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે જણાવ્યું કે, 'છાવણી બંધ નહીં થાય, અને ૧૦ લાખથી વધુ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે.' વરસાદના કારણે હાલ શાંતિ જાળવવામાં આવી રહી છે, પરંતુ હવે આ તમામને એકત્રિત કરી આગળની વ્યૂહરચના નક્કી કરાશે. કાળુ અમૃતિયાએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા અને ખેડૂતોને હક્ક મેળવીને જ જંપવાનું આહ્વાન કર્યું.