નડિયાદમાં ભકતોએ સંતરામ મંદિરમાં પ્રથમ દૂધ અને ધાન્ય અર્પણ કર્યુ
નડિયાદમાં ભકતોએ સંતરામ મંદિરમાં પ્રથમ દૂધ અને ધાન્ય અર્પણ કર્યુ
Published on: 30th July, 2026

નડિયાદ સંતરામ મંદિરમાં ગુરૂ પૂર્ણિમા નિમિતે ખેડા જિલ્લા સહિત આણંદ , મહિસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભકતો દર્શનાર્થે ઊમટયા હતા. આ ભકતો દૂધ અને ઉનાળા સિઝનનું પ્રથમ અનાજ ડાંગર , બાજરી લઇને આવ્યા હતા. આ ભકતોએ મંદિરમાં દૂધ અને ધાન્ય અર્પણ અને શ્રી સંતરામ મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.