હિંમતનગરના દરામલીના વેપારી પાસેથી ઉંચુ વ્યાજ વસૂલવા અંગે ફરિયાદ નોંધાઈ
હિંમતનગરના દરામલીના વેપારી પાસેથી ઉંચુ વ્યાજ વસૂલવા અંગે ફરિયાદ નોંધાઈ
Published on: 30th July, 2026

ઈડર તાલુકાના દરામલી ગામના એક વેપારીએ બે વ્યક્તિઓ વિરુદ્ધ વધુ વ્યાજ વસૂલવા અને ધાકધમકી આપવા બદલ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વેપારીનો આરોપ છે કે, નિર્મલ રાજેન્દ્રભાઈ નાયક અને યશ મહેશભાઈ સોલંકીએ તેમને આપેલા રૂપિયા કરતાં બમણું વ્યાજ વસૂલ્યું છે. નિર્મલે તો વેપારીનું એકટીવા પણ લઈ લીધું હતું. આ બંને દ્વારા સતત ઉઘરાણી અને ધાકધમકીથી ત્રાસીને વેપારીએ કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે.