દિલ્હીમાં ભારે વરસાદ વચ્ચે બિલ્ડિંગ ધરાશાયી!
દિલ્હીના રોહિણી સેક્ટર 16 માં ભારે વરસાદને કારણે એક જૂનું મકાન અચાનક ધરાશાયી થયું. સાંજે 4:20 વાગ્યે બનેલી આ ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્રને મકાનના કાટમાળ નીચે કેટલાક લોકો દબાયેલા હોવાની આશંકા છે. ફાયર સર્વિસની 4 ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજુ સુધી સ્પષ્ટતા નથી.
દિલ્હીમાં ભારે વરસાદ વચ્ચે બિલ્ડિંગ ધરાશાયી!
ફિલ્મ 'પુષ્પા' જેવો live સીન: નદીમાં ચંદન નહીં, 3000 ગેસ સિલિન્ડર વહેતા જોવા મળ્યા
મહારાષ્ટ્રના રાયગઢમાં સુપરહિટ ફિલ્મ 'પુષ્પા: ધ રાઈઝ'ના એક સીનની જેમ જ નદીમાં લાલ ચંદન નહીં, પરંતુ આશરે 3000 LPG ગેસ સિલિન્ડર વહેતા જોવા મળ્યા. ભારે વરસાદ બાદ આવેલા પૂરમાં HPCL પ્લાન્ટમાંથી આ સિલિન્ડરો વહી ગયા હતા. જોકે, મોટાભાગના સિલિન્ડર ખાલી હોવાથી ગેસ લીકેજ કે બ્લાસ્ટનો મોટો ખતરો ટળી ગયો હતો. જિલ્લા કલેક્ટરે નાગરિકોને આ સિલિન્ડરોથી દૂર રહેવા અને કોઈ જોખમ ન ખેડવા અપીલ કરી છે. તંત્ર અને કંપની સંયુક્ત રીતે સિલિન્ડરોની શોધખોળ કરી રહ્યા છે.
ફિલ્મ 'પુષ્પા' જેવો live સીન: નદીમાં ચંદન નહીં, 3000 ગેસ સિલિન્ડર વહેતા જોવા મળ્યા
સુરતમાં જળપ્રલય: 13 મોત, 3416નું રેસ્ક્યૂ, 3862 લોકોનું સ્થળાંતર
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદને કારણે સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેરમાં છેલ્લા 38 કલાકમાં 19 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ અતિભારે વરસાદી આફતમાં ડૂબવા અને કરંટ લાગવાથી કુલ 13 લોકોના મોત નીપજ્યા છે. સ્થાનિક તંત્ર, NDRF અને SDRFની ટીમો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. 8 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધીમાં 3,416 લોકોને રેસ્ક્યૂ કરાયા છે અને 3,862 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. 9563 ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ કરાઈ છે.
સુરતમાં જળપ્રલય: 13 મોત, 3416નું રેસ્ક્યૂ, 3862 લોકોનું સ્થળાંતર
એર ઇન્ડિયાને બિઝનેસ ક્લાસની ખરાબ સીટના કારણે ચૂકવવા પડશે 20 લાખ!
એર ઇન્ડિયાને એક ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં મુસાફરને ખરાબ બિઝનેસ ક્લાસ સીટ આપવી ભારે પડી છે. રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચ (NCDRC) એ એરલાઇનને આદેશ આપ્યો છે કે, 73 વર્ષીય સિનિયર સિટીઝન મુસાફરને બિઝનેસ ક્લાસ ટિકિટના પૂરા પૈસા પાછા આપે અને 20 લાખ રૂપિયાનું વળતર તેમજ કાનૂની ખર્ચ ચૂકવે. પંચે જણાવ્યું કે 15 કલાકની લાંબી આંતરરાષ્ટ્રીય ઉડાનમાં આવી ખરાબ સીટ આપવી એ, Deficiency in Service છે. મુસાફરને 15 કલાકની મુસાફરીમાં તકલીફ પડી હતી.
એર ઇન્ડિયાને બિઝનેસ ક્લાસની ખરાબ સીટના કારણે ચૂકવવા પડશે 20 લાખ!
મુંબઈમાં મુશળધાર વરસાદ!
મુંબઈમાં સતત વરસાદ વચ્ચે પાણી પુરવઠા માટે રાહતના સમાચાર મળ્યા છે. વિહાર બાદ તુલસી તળાવ પણ ઓવરફ્લો થયું છે, જેના કારણે શહેરને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં કુલ જળસંગ્રહ ક્ષમતાના 41.43 ટકા સુધી પહોંચી ગયો છે. તુલસી તળાવ મુંબઈને દરરોજ આશરે 1.8 કરોડ લીટર પાણી પૂરું પાડે છે અને તેનું વધારાનું પાણી વિહાર તળાવમાં જાય છે. સતત વરસાદને કારણે આગામી દિવસોમાં અન્ય જળાશયોની સપાટીમાં પણ વધારો થવાની શક્યતા છે.
મુંબઈમાં મુશળધાર વરસાદ!
ટ્રમ્પના વિશ્વાસુની કંપનીને ભારત દર મહિને આપશે 1.50 લાખ ડોલર
પહલગામ આતંકી હુમલા બાદ, આંતરરાષ્ટ્રીય મંચ પર પક્ષ રજૂ કરવા ભારતે અમેરિકાની લોબિંગ ફર્મ 'SHW પાર્ટનર્સ LLC' સાથેનો કોન્ટ્રેક્ટ વધુ એક વર્ષ માટે રિન્યૂ કર્યો છે. આ ફર્મ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સાથીદાર જેસન મિલરની છે. FARA હેઠળ, ભારત દર મહિને $1,50,000 ચૂકવશે, જે વાર્ષિક $1.8 મિલિયન થશે. આ કોન્ટ્રેક્ટ 23 એપ્રિલ, 2027 સુધી ચાલશે. આ ફર્મ વ્યૂહાત્મક સલાહ, ટેક્ટિકલ પ્લાનિંગ અને અમેરિકન સરકાર સમક્ષ ભારતનો પક્ષ રજૂ કરવામાં મદદ કરશે.
ટ્રમ્પના વિશ્વાસુની કંપનીને ભારત દર મહિને આપશે 1.50 લાખ ડોલર
ગુજરાતનો દરિયો તોફાની બનશે, માછીમારો અને બંદરો માટે IMD ની ખાસ ચેતવણી જાહેર
ગુજરાતમાં સક્રિય ચોમાસાની સિસ્ટમને કારણે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, 9 જુલાઈએ તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન, દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવા અને દરિયો તોફાની બનવાની પ્રબળ શક્યતા હોવાથી, માછીમારો અને બંદરો માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. IMD એ 8 થી 12 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા જણાવ્યું છે. દક્ષિણ ગુજરાતના બંદરો પર સિગ્નલ નંબર-3 યથાવત રાખવામાં આવ્યો છે.
ગુજરાતનો દરિયો તોફાની બનશે, માછીમારો અને બંદરો માટે IMD ની ખાસ ચેતવણી જાહેર
મમતાએ કાર્યકર્તાને માર્યો થપ્પો!
પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલી દરમિયાન BJP અને TMC કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના બની, જેમાં 41 લોકો ઘાયલ થયા. આ દરમિયાન, વાયરલ થયેલા વીડિયોમાં મમતા બેનર્જી પોતાના જ એક કાર્યકર્તાને થપ્પડ મારતા જોવા મળ્યા. આ ઘટના કાલીઘાટ ખાતે બની હતી. રેલીમાં BJP સમર્થકોએ ઘૂસણખોરી કરી હોવાનો TMCનો આરોપ છે, જેના પગલે પથ્થરમારો થયો હતો. ઘાયલોને SSKM હોસ્પિટલમાં દાખલ કરાયા છે. TMCએ BJP ગુંડાઓ પર નિર્દયતાનો આરોપ મૂક્યો છે.
મમતાએ કાર્યકર્તાને માર્યો થપ્પો!
ઇન્ડોનેશિયાનાં ૧ હજાર વર્ષ પ્રાચીન હિન્દુ મંદિર 'પ્રમ્બાનન'ની મુલાકાત લીધી PM નરેન્દ્ર મોદીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન ૯મી સદીમાં બનેલા અને ભગવાન શિવને સમર્પિત પ્રમ્બાનન મંદિરની મુલાકાત લીધી. આ ૧ હજાર વર્ષ પ્રાચીન હિન્દુ મંદિર યોગ્યાકર્તા નગરથી ૧૭ કિ.મી. ઉત્તર-પૂર્વમાં આવેલું છે અને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરાયેલું છે. તેના જિર્ણોદ્ધાર અને સંરક્ષણમાં ભારત સક્રિય સહાય કરી રહ્યું છે, જે બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોનું પ્રતિક છે.
ઇન્ડોનેશિયાનાં ૧ હજાર વર્ષ પ્રાચીન હિન્દુ મંદિર 'પ્રમ્બાનન'ની મુલાકાત લીધી PM નરેન્દ્ર મોદીએ
સોનમ વાંગચુકના ઉપવાસ વચ્ચે અભિજીત દીપકના નૂડલ્સ ખાતાં વીડિયો પર વિવાદ
નવી દિલ્હીના જંતર-મંતર પર સોનમ વાંગચુકના ઉપવાસ વચ્ચે CJP સ્થાપક અભિજીત દીપકેનો ફૂડ વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. વીડિયોમાં તેઓ કચોરી, બ્રેડ પકોડા અને નૂડલ્સ ખાતા દેખાય છે, જેના કારણે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શા માટે તેઓ ઉપવાસ પર નથી. દીપકેએ સ્પષ્ટતા કરી કે વીડિયો જૂનો છે અને ખોટા સંદર્ભમાં રજૂ કરાયો છે. તેમણે જણાવ્યું કે, આંદોલનને નબળું પાડવાનો પ્રયાસ છે અને કોર ટીમની જવાબદારીઓ સમજાવી.
સોનમ વાંગચુકના ઉપવાસ વચ્ચે અભિજીત દીપકના નૂડલ્સ ખાતાં વીડિયો પર વિવાદ
ગુજરાતમાં 'ભારે' વરસાદ: 425 રસ્તા બંધ, 11 ડેમ હાઈ-એલર્ટ
ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લાઓમાં અતિભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રાજ્યમાં સરેરાશ 222.10 mm વરસાદ નોંધાયો છે, જેમાં સુરતમાં જળબંબાકારની સ્થિતિ છે. 7,500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. પંચાયત હસ્તકના 403 અને 15 સ્ટેટ હાઈવે સહિત કુલ 425 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. નર્મદા ડેમ 65% ભરાયો છે, જ્યારે 11 ડેમ હાઈ-એલર્ટ પર છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં 'ભારે' વરસાદ: 425 રસ્તા બંધ, 11 ડેમ હાઈ-એલર્ટ
બેંગલુરુમાં રસ્તા પર દેખાયો કોબ્રા, ફેણ ફેલાવીને બેસી જતા 30 મિનિટ ટ્રાફિક જામ
બેંગલુરુના પેલેસ રોડ પર 7 જુલાઈની સાંજે રસ્તાની વચ્ચે ફેણ ફેલાવીને બેઠેલા કોબ્રાના કારણે લગભગ 30થી 40 મિનિટ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો રમૂજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જાણ થતાં પોલીસ અને વન વિભાગની ટીમે સુરક્ષિત રીતે સાપનું રેસ્ક્યૂ કર્યું, જેમાં કોઈને ઈજા પહોંચી નહોતી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ શહેરીકરણ અને બદલાતા હવામાનને કારણે વન્યજીવો શહેરોમાં જોવા મળી રહ્યા છે.
બેંગલુરુમાં રસ્તા પર દેખાયો કોબ્રા, ફેણ ફેલાવીને બેસી જતા 30 મિનિટ ટ્રાફિક જામ
હોર્મુઝમાં ભારતીય ટેન્કરોને ‘નો એન્ટ્રી’!
મિડલ ઈસ્ટના હોર્મુઝ જળમાર્ગમાં અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ઈરાને ઓમાન કોરિડોરથી પસાર થતા એક ભારતીય તેલ ટેન્કરને રોકી પરત મોકલી દીધું. IRGCએ જહાજોને ઈરાન નિર્ધારિત માર્ગનો ઉપયોગ કરવાની ચેતવણી આપી છે. અગાઉ ગુજરાત આવી રહેલા LNG જહાજ અને સાઉદી ટેન્કર પર પણ હુમલા થયા હતા, જોકે તમામ ક્રૂ સુરક્ષિત રહ્યા. જવાબમાં અમેરિકાએ ઈરાનના 80થી વધુ લશ્કરી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી, જ્યારે ઈરાને કુવૈત અને બહેરીન પર વળતા હુમલા કર્યા.
હોર્મુઝમાં ભારતીય ટેન્કરોને ‘નો એન્ટ્રી’!
રામ મંદિર ચઢાવા ચોરી: ટેન્ડર વિના ખાનગી એજન્સીને રોકડ ગણવાની જવાબદારી સોંપાઈ
અયોધ્યા રામ મંદિરમાં ચઢાવાના નાણાંમાં થયેલી કથિત ગડબડની તપાસમાં હવે ભારતીય સ્ટેટ બેંક (SBI)ની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. દાનની રકમ ગણવાની જવાબદારી કોઈ પણ કાનૂની ટેન્ડર પ્રક્રિયા વિના જ 'સૈનિક સિક્યોરિટી સર્વિસીસ' નામની ખાનગી એજન્સીને સોંપાઈ હતી. આ એજન્સી સુરક્ષા અને હાઉસકીપિંગ જેવી સેવાઓ પૂરી પાડે છે, પરંતુ તેને રોકડ ગણવા જેવી અત્યંત સંવેદનશીલ કામગીરી સોંપાતા વિવાદ સર્જાયો છે. Standard Operating Procedure (SOP) ના પાલન પર પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
રામ મંદિર ચઢાવા ચોરી: ટેન્ડર વિના ખાનગી એજન્સીને રોકડ ગણવાની જવાબદારી સોંપાઈ
મમતા બેનર્જીની રેલીમાં TMC-BJP વચ્ચે મારામારી, 'ચોર... ચોર...' ના નારા
પશ્ચિમ બંગાળના કોલકાતામાં મમતા બેનર્જીની રેલી દરમિયાન TMC અને BJP કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હિંસક ઝપાઝપી થઈ. કાર્યકર્તાઓએ 'ચોર, ચોર' ના નારા લગાવ્યા. પોલીસે સ્થિતિ સંભાળી. મમતા બેનર્જીએ પોલીસ અને વહીવટી તંત્ર પર રેલી રોકવાનો પ્રયાસ કરવાનો અને ભાજપને મદદ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે હાઈકોર્ટની મંજૂરી હોવા છતાં પોલીસ શાંતિપૂર્ણ રેલી યોજવામાં નિષ્ફળ રહી અને તેમના કાર્યકર્તાઓને માર માર્યો.
મમતા બેનર્જીની રેલીમાં TMC-BJP વચ્ચે મારામારી, 'ચોર... ચોર...' ના નારા
સુરતમાં વરસાદી આફત વચ્ચે ભાજપના જ પૂર્વ મંત્રીએ તંત્ર સામે ખોલ્યો મોરચો
સુરતમાં અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થતાં ભાજપના પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. તેમણે કહ્યું કે, 'બેઠકો ઘણી, પણ આયોજન શૂન્ય' છે. લાખો લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે, અને ગયા વર્ષની સમીક્ષા માત્ર કાગળ પર રહી છે. ટેક્નિકલ સર્વે કરીને પાણી ડાયવર્ટ કરવાની જરૂર છે, પરંતુ આયોજનના અભાવે લોકો મુશ્કેલીમાં છે. તેમણે વહીવટી તંત્રની નિષ્ફળતા પર ભાર મૂક્યો અને કાયમી ઉકેલ લાવવાની માગ કરી.
સુરતમાં વરસાદી આફત વચ્ચે ભાજપના જ પૂર્વ મંત્રીએ તંત્ર સામે ખોલ્યો મોરચો
જાણો જાણીતા બિઝનેસમેન હર્ષ ગોએન્કાનો '3-30-300 રુલ ઓફ લાઈફ'
RPG એન્ટરપ્રાઇઝીસના ચેરમેન હર્ષ ગોએન્કાનો "3-30-300 રૂલ ઓફ લાઇફ" સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ ફોર્મ્યુલા વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસમાં સંબંધોની અસર સમજાવે છે. તે મુજબ, 3 લોકો તમારું મૂળ વ્યક્તિત્વ ઘડે છે, 30 લોકો વિચારસરણીને વિસ્તૃત કરે છે, અને 300 લોકો વ્યાવસાયિક તકો માટે નેટવર્ક વધારે છે. આ નિયમ યોગ્ય લોકોની પસંદગી અને સમયના સદુપયોગ પર ભાર મૂકે છે. તમારી આસપાસના લોકો તમારા ભવિષ્યને ઘડે છે, તેથી તેમની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરવી જોઈએ.
જાણો જાણીતા બિઝનેસમેન હર્ષ ગોએન્કાનો '3-30-300 રુલ ઓફ લાઈફ'
સુરતના કૃષ્ણનગર અને ગઢા નગરમાં જળબંબાકાર
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદી માહોલ છે, જેના કારણે સુરત છેલ્લા બે દિવસથી જળમગ્ન બન્યું છે. સુરતના અનેક વિસ્તારોમાં 10 ઇંચથી વધુ વરસાદ પડવાથી સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું છે, જેણે જનજીવનને ખોરવી નાખ્યું છે. આ વિકટ પરિસ્થિતિમાં, તંત્ર દ્વારા સુરતમાં જળબંબાકારમાં ફસાયેલા 193થી વધુ નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. SDRF અને NDRFની ટીમો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
સુરતના કૃષ્ણનગર અને ગઢા નગરમાં જળબંબાકાર
ICC T20 રેન્કિંગમાં ઉથલપાથલ: શ્રેયસ અય્યરની 425 ક્રમની છલાંગ
ICC Men's રેન્કિંગમાં ઈંગ્લિશ ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો. જેકબ બેથેલ T20 બેટ્સમેનોમાં 8મા નંબરે, સેમ કરન બેટિંગમાં 108મા અને બોલિંગમાં 71મા, જ્યારે ઓલરાઉન્ડર્સમાં 13મા ક્રમે પહોંચ્યો. બીજી તરફ, ભારતીય ખેલાડી શ્રેયસ અય્યર બેટ્સમેનોની યાદીમાં 425 ક્રમની છલાંગ લગાવી 93મા નંબરે આવ્યો. ઈશાન કિશન નંબર-1 બેટ્સમેન યથાવત છે, જ્યારે અભિષેક શર્મા અને તિલક વર્મા ટોપ-10માં સામેલ છે. રાશિદ ખાન બોલિંગમાં નંબર-1 પર છે.
ICC T20 રેન્કિંગમાં ઉથલપાથલ: શ્રેયસ અય્યરની 425 ક્રમની છલાંગ
34 કરોડ કર્મચારીઓ માટે ખુશખબર: 15 જુલાઈ સુધીમાં EPFOની નવી સિસ્ટમ લાગુ
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) 34 કરોડ PF ખાતાધારકો માટે 8.25% વ્યાજ આગામી 15 જુલાઈ સુધીમાં જમા કરશે. નવી સેન્ટ્રલાઈઝ્ડ IT સિસ્ટમ (CITES 2.01) લાગુ થવાથી PF સેવાઓ વધુ સરળ, પારદર્શક અને ઝડપી બનશે. આ સિસ્ટમ હેઠળ, ક્લેમ સબમિટ કરતા પહેલાં જ ભૂલો પકડાઈ જશે, જેનાથી ક્લેમ રિજેક્ટ થવાની શક્યતા ઘટશે. PF ઉપાડવાના નિયમો પણ સરળ બન્યા છે. ઓટો ક્લેમ સેટલમેન્ટની મર્યાદા 1 લાખથી વધીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. નોકરી બદલનારાઓ માટે PF એકાઉન્ટ ઓટો ટ્રાન્સફર થશે.
34 કરોડ કર્મચારીઓ માટે ખુશખબર: 15 જુલાઈ સુધીમાં EPFOની નવી સિસ્ટમ લાગુ
EDએ TMCના 440 કરોડ રૂપિયા જમા બેંક ખાતા ફ્રીઝ કર્યા
EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ TMC સાથે જોડાયેલા 3 બેંક ખાતા ફ્રીઝ કર્યા છે, જેમાં 440 કરોડ રૂપિયા જમા છે. આ કાર્યવાહી કથિત શંકાસ્પદ વ્યવહારો અને ચાર્ટર્ડ પ્લેનના ખર્ચની તપાસ માટે કરાઈ છે. EDએ કોલકાતામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં 'કેરવેલ ગ્રુપ ઓફ કંપનીઝ'નો પણ સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું કે, TMCના ખાતાઓમાંથી 'કેરવેલ એવિએશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ' અને તેની સહયોગી કંપનીના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર થઈ હતી, જેનો ઉપયોગ 'એમ્બ્રેયર લિગસી 600' કોર્પોરેટ વિમાન અને 'અગસ્તા વેસ્ટલેન્ડ 109SP' હેલિકોપ્ટર ખરીદવા માટે થયો હતો.
EDએ TMCના 440 કરોડ રૂપિયા જમા બેંક ખાતા ફ્રીઝ કર્યા
મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં કચરાનો પહાડ ધરાશાયી
મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં કચરાનો વિશાળ ઢગલો ત્રણ માળની ઈમારત પર ધરાશાયી થયો. આ ઘટનામાં અંદાજે 16 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. મોશી વિસ્તારમાં બનેલી આ દુર્ઘટનામાં, પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC) માટે વેસ્ટ પ્રોસેસિંગ કરતી કંપનીની એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ દબાઈ ગઈ. સતત ભારે વરસાદને કારણે કચરાનો ઢગલો ઢીલો પડી સરકી ગયો હતો. NDRF, ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી મેડિકલ સર્વિસિસની ટીમો યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે.
મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં કચરાનો પહાડ ધરાશાયી
રામ મંદિરમાં નકલી પહોંચથી શ્રદ્ધાળુઓને છેતરવાનો મોટો ખુલાસો
રામ મંદિરમાં દાનની ચોરીના મામલે નવા ખુલાસા થયા છે. તપાસ દરમિયાન પોલીસને 'શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર'ના નામે છાપવામાં આવેલી નકલી દાન પહોંચ બુક મળી આવી છે. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ માત્ર દાનની ચોરી જ નહોતા કરતા, પરંતુ ભક્તોને નકલી પહોંચ આપીને સીધા પૈસા પણ પડાવતા હતા. આ નકલી પહોંચ અસલી જેવી જ દેખાતી હતી, જેના કારણે ભક્તો છેતરાતા રહ્યા. નવી ઑનલાઇન સિસ્ટમ શરૂ થતાં આ કૌભાંડનો અંત આવ્યો. તત્કાલીન મહાસચિવ ચંપત રાયની ભૂમિકા અને FIR ન થવા પર સવાલો ઉઠી રહ્યા છે.
રામ મંદિરમાં નકલી પહોંચથી શ્રદ્ધાળુઓને છેતરવાનો મોટો ખુલાસો
હેડ કોચ ગંભીરે સંજુ સેમસનને ડ્રોપ કરવા અંગે તોડ્યું મૌન
ભારતીય ટીમ અને પ્લેઇંગ 11માંથી સંજુ સેમસનને શા માટે બહાર કરવામાં આવ્યા છે તે અંગે હેડ કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે સેમસનને પર્સનલી સ્પષ્ટતા આપી દેવામાં આવી છે, જે ખેલાડી અને કોચ વચ્ચેની ખાનગી વાતચીત છે. ગંભીરે કહ્યું કે T20 World Cupમાં સેમસનનું પ્રદર્શન અદ્ભુત હતું, પરંતુ ટીમ ઇન્ટરેસ્ટ અને વર્તમાન ફોર્મ ધ્યાનમાં લેવું પડે છે. ગંભીરે સેમસનના કમબેક અંગે આશાવાદ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે ટીમ મેનેજમેન્ટ જીત માટે શ્રેષ્ઠ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરે છે.
હેડ કોચ ગંભીરે સંજુ સેમસનને ડ્રોપ કરવા અંગે તોડ્યું મૌન
જોફ્રા આર્ચરે IPLની પીચ અને બાઉન્ડ્રી વિશે ખોલ્યો મોટો ખુલાસો
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે IPLની સરળ પીચો અને નાની બાઉન્ડ્રીનો ઉલ્લેખ કરીને મોટી વાત કહી છે. તેમણે જણાવ્યું કે ભારતમાં IPL દરમિયાન પરિસ્થિતિઓ એવી હતી કે 200 રનનો સ્કોર પણ સુરક્ષિત નહોતો. આનાથી વિપરીત, ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં બોલિંગ કરવી તેમના માટે વધુ સામાન્ય છે. ભારતીય બેટ્સમેનોને બ્રિટનમાં ક્રિકેટ રમવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે તેઓ T20 સિરીઝમાં સંઘર્ષ કરી રહ્યા છે.
જોફ્રા આર્ચરે IPLની પીચ અને બાઉન્ડ્રી વિશે ખોલ્યો મોટો ખુલાસો
PM મોદીએ ઇન્ડોનેશિયાના ૧૦૦૦ વર્ષ જૂના મંદિરની મુલાકાત લીધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાના ઐતિહાસિક પ્રમ્બાનન મંદિરની મુલાકાત લીધી. લગભગ ૧૦૦૦ વર્ષ જૂના આ હિન્દુ મંદિરના પુનર્નિર્માણ અને જીર્ણોદ્ધાર માટે ભારત હવે ઇન્ડોનેશિયા સાથે સહમતિ દર્શાવી રહ્યું છે. PM મોદીએ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે મળીને આ મંદિરના સંરક્ષણ અને પુનઃસ્થાપન પરિયોજનાનો શુભારંભ કર્યો. આ પરિયોજના બંને દેશો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક સહયોગનું પ્રતિક છે. PM મોદીએ મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી.
PM મોદીએ ઇન્ડોનેશિયાના ૧૦૦૦ વર્ષ જૂના મંદિરની મુલાકાત લીધી
રામ મંદિર દાન ચોરી: CCTV નિરીક્ષણમાં પણ લાલિયાવાડીનો ખુલાસો
અયોધ્યાના રામ મંદિરમાં દાનની ગેરરીતિની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસ માની રહી છે કે દસ્તાવેજો કરતાં આરોપીઓની સામસામે પૂછપરછથી વધુ સત્ય બહાર આવશે. જેલમાં બંધ અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા અને કરુણેશ પાંડેને રિમાન્ડ પર લઈને પૂછપરછ શરૂ કરાઈ છે. દાન ગણતરી રૂમમાં CCTV નિરીક્ષણમાં બેદરકારીનો ફાયદો ઉઠાવીને 6 કર્મચારીઓએ 2 થી 3 કરોડ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ રકમનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવા માટે કરાયો હતો. 79 લાખ રોકડ અને દાગીના રિકવર કરાયા છે.
રામ મંદિર દાન ચોરી: CCTV નિરીક્ષણમાં પણ લાલિયાવાડીનો ખુલાસો
એપલનો પહેલો ફોલ્ડેબલ iPhone ખરીદવો લોઢાના ચણા ચાવવા જેવું!
એપલનો પહેલો ફોલ્ડેબલ iPhone, જે સપ્ટેમ્બર 2026માં લોન્ચ થવાની સંભાવના છે, તેની ખરીદી યુઝર્સ માટે મોટો પડકાર બની શકે છે. જાણીતા સપ્લાય ચેઈન એનાલિસ્ટ મિંગ-ચી કુઓના મતે, શરૂઆતમાં આ ફોલ્ડેબલ iPhoneનો સ્ટોક અત્યંત મર્યાદિત રહેશે. આ કારણે, ગ્રાહકોમાં ઉત્સાહ હોવા છતાં, ડિલિવરીમાં લાંબો સમય લાગી શકે છે અને બ્લેક માર્કેટમાં તેની કિંમતો વધી શકે છે. વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં માત્ર 5 લાખથી 10 લાખ યુનિટ્સનું જ ઉત્પાદન થવાની ધારણા છે, જે પ્રીમિયમ iPhonesના ઉત્પાદન કરતાં ઘણું ઓછું છે.
એપલનો પહેલો ફોલ્ડેબલ iPhone ખરીદવો લોઢાના ચણા ચાવવા જેવું!
નિજ્જરની હત્યામાં ભારતનો હાથ?
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે કેનેડાની ટિપ્પણી: "અમેરિકામાં આંતરરાષ્ટ્રીય ગુનાઇત સંગઠનો સામે ચાલી રહેલી તપાસમાં ભારતીય અધિકારીઓની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી." અમેરિકાએ લોરેન્સ બિશ્નોઈ સહિત ડઝનબંધ આરોપીઓ વિરુદ્ધ ત્રણ ચાર્જશીટ જાહેર કરી છે. આ આરોપીઓ પર ખંડણી, હત્યા, અપહરણ અને ડ્રગ્સની હેરાફેરી જેવા ગંભીર આરોપો છે. કેનેડાના પૂર્વ PM જસ્ટિન ટ્રુડોના નિજ્જર કેસમાં ભારતીય એજન્ટોના હાથ હોવાના આરોપોને આ નવી તપાસમાં સમર્થન મળ્યું નથી.
નિજ્જરની હત્યામાં ભારતનો હાથ?
ગુજરાતના 5 જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. ગુજરાતમાં આજે પણ અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાના કારણે દક્ષિણ ગુજરાતમાં આજે (8 જુલાઈ) પણ ભારે વરસાદનું સંકટ યથાવત છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સુરત, ડાંગ, તાપી, ભરૂચ અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે 9 જુલાઈથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે.
ગુજરાતના 5 જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વડોદરામાં નવા પાણીની આવક થતા જ મગરોમાં અફરાતફરી
વડોદરામાં ચોમાસા દરમિયાન નવા પાણીની આવક થતાં મગરોમાં અફરાતફરી મચી ગઈ છે. વાસણા રોડના બંગલાઓ નજીક 9 ફૂટના મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું છે. સામાન્ય રીતે મગરો શાંત પાણીમાં રહેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ વહેતા પાણીમાં તેમને તકલીફ થાય છે. આ ઉપરાંત, તાંદલજા બસ સ્ટેન્ડ પાસે અને પાદરા રોડ ઉપર પણ મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ફોરેસ્ટ વિભાગ અને જીવદયા સંસ્થાઓ લોકોને સાવચેત રહેવા અને મગર દેખાય તો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી રહી છે.