જામનગરના લાલપુર નજીક રસ્તા પર રઝળતા ખૂંટિયાએ ઢીક મારતા શ્રમિકનું મોત
જામનગરના લાલપુર નજીક રસ્તા પર રઝળતા ખૂંટિયાએ ઢીક મારતા શ્રમિકનું મોત
Published on: 12th August, 2026

જામનગરના લાલપુર તાલુકાના કાનાલુસ રોડ પર રસ્તે રઝળતા ખૂંટિયાએ ઢીક મારતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ઓડિશાના 35 વર્ષીય શ્રમિક બીજયા બેહરા સોલાબેહરાનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ થયું છે. મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના રહેવાસી બીજયા તા. 3 ઓગસ્ટની રાત્રિએ કાનાલુસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ખૂંટિયાએ તેમને ઢીક મારતાં તેઓ પડી ગયા અને ગંભીર ઈજાઓ થઈ. મેઘપર પોલીસ મથકમાં અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે.