જામનગર જિલ્લામાં 4 નાયબ મામલતદારોની આંતરિક બદલી
જામનગર જિલ્લામાં 4 નાયબ મામલતદારોની આંતરિક બદલી
Published on: 12th August, 2026

જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડયા દ્વારા વહીવટી કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે 4 નાયબ મામલતદારોની આંતરિક બદલી અને 6 નાયબ મામલતદારોને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ફેરફારથી કામગીરીમાં ઝડપ લાવવાનો પ્રયાસ કરાયો છે. બદલી પામેલા અધિકારીઓમાં ડી.જી.ત્રિવેદી, વી.આર.લગારીયા, રવિરાજસિંહ ડી.ઝાલા અને વી.ટી.નંદાસણાનો સમાવેશ થાય છે. વી.એચ.ગોહીલને સિક્કા નગરપાલિકાના ચીફ ઓફિસરનો વધારાનો ચાર્જ અપાયો છે.