સુરતમાં ભેળસેળિયા ખાદ્ય પદાર્થો સામે નવી પહેલ!
સુરતમાં ભેળસેળિયા ખાદ્ય પદાર્થો સામે નવી પહેલ!
Published on: 12th August, 2026

સુરત શહેરમાં ભેળસેળિયા અને નકલી ખાદ્ય પદાર્થોનો વધી રહેલો કારોબાર ચિંતાનો વિષય બન્યો છે. સામાન્ય નાગરિકો પોતાના ખોરાકની ગુણવત્તા જાતે ચકાસી શકે તે માટે નવી વ્યવસ્થા ઊભી કરવાની માંગ થઈ રહી છે. પાલિકાના વિપક્ષી કોર્પોરેટરે શહેરના દરેક ઝોનમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ‘મોબાઈલ ફૂડ ટેસ્ટ લેબોરેટરી’ શરૂ કરવાની રજૂઆત કરી છે. આ લેબમાં નજીવા દરે ખાદ્ય ચીજોની પ્રાથમિક તપાસ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે, જેથી નાગરિકો આરોગ્યને સુરક્ષિત રાખી શકે.