અમદાવાદના દુષ્કર્મ કેસમાં આરોપી ગાર્ડ અને તેની સિક્યુરિટી કંપની લાયસન્સ વિહોણી!
અમદાવાદના દુષ્કર્મ કેસમાં આરોપી ગાર્ડ અને તેની સિક્યુરિટી કંપની લાયસન્સ વિહોણી!
Published on: 12th August, 2026

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં દુષ્કર્મ કેસમાં આરોપી સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ અને તેને નોકરી આપનાર એ-વન સિક્યુરિટી એજન્સીનું લાયસન્સ રિન્યૂ નહીં થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આનંદનગર પોલીસે માલિક રામપ્રકાશ તિવારીની ધરપકડ કરી છે. આ ઘટનાથી સોસાયટીઓમાં નાગરિકોની સુરક્ષાની જવાબદારી સંભાળતી ખાનગી સિક્યુરિટી એજન્સીઓની નોંધણી વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. આરોપી ગાર્ડને પોલીસે શોધી કાઢ્યો હતો, પરંતુ ભાગી છૂટવાના પ્રયાસમાં પોલીસ ફાયરિંગમાં તે ઘાયલ થયો હતો.