સાવરકુંડલાની બેકરી અને કોલ્ડ્રિંક્સમાંથી પ્રતિબંધિત એનાલોગ પનીરનો જથ્થો ઝડપાયો
સાવરકુંડલાની બેકરી અને કોલ્ડ્રિંક્સમાંથી પ્રતિબંધિત એનાલોગ પનીરનો જથ્થો ઝડપાયો
Published on: 12th August, 2026

અમરેલી SOG પોલીસે સાવરકુંડલામાં દરોડા પાડીને પ્રતિબંધિત એનાલોગ પનીરનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહી ‘જલારામ બેકરી’ અને ‘ઈલોરા કોલ્ડ્રિંક્સ’ માં કરવામાં આવી, જ્યાંથી આશરે 8 કિલો એનાલોગ પનીર મળી આવ્યું. ફૂડ ઍન્ડ સેફ્ટી વિભાગે સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલ્યા છે. આ પ્રતિબંધિત પનીર માનવ શરીર માટે હાનિકારક હોવાથી, તેનો સપ્લાયર કોણ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. અગાઉ અમરેલી અને લાઠીમાંથી પણ આવા જથ્થા ઝડપાયા હતા, જેના પગલે ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.