જામનગરમાં પરિણીતાએ 7 વર્ષથી પતિ સહિત સાસરિયાંના ત્રાસની ફરિયાદ કરી
જામનગરમાં પરિણીતાએ 7 વર્ષથી પતિ સહિત સાસરિયાંના ત્રાસની ફરિયાદ કરી
Published on: 12th August, 2026

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ સહિત સાસરિયાંઓ દ્વારા છેલ્લા 7 વર્ષથી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પતિ નાની-નાની વાતોમાં ઝઘડો કરી મારકૂટ કરતો હતો અને તેણે યાસ્મીન નામની યુવતી સાથે બીજા નિકાહ પણ કર્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. સાસુ, સસરા અને દિયર પણ ત્રાસમાં સામેલ હોવાનું જણાવાયું છે. સમાધાનના અનેક પ્રયાસો નિષ્ફળ ગયા બાદ આખરે મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.