રાપરના આર્મી જવાન દિલીપકુમાર ભાટીયા 21 વર્ષની સેવા બાદ નિવૃત્ત થતા ભવ્ય સ્વાગત, ઉરી સર્જિકલ સ્ટ્રાઇકમાં બોર્ડર પર તૈનાત.
રાપરના આર્મી જવાન દિલીપકુમાર ભાટીયા 21 વર્ષની સેવા બાદ નિવૃત્ત થતા ભવ્ય સ્વાગત, ઉરી સર્જિકલ સ્ટ્રાઇકમાં બોર્ડર પર તૈનાત.
Published on: 03rd August, 2025

હમીરપરના વતની દિલીપકુમાર ભાટીયાનું 21 વર્ષની સેનામાંથી નિવૃત્તિ બાદ સ્વાગત કરાયું. રાપરના નગાસર તળાવ ખાતે સન્માન સમારંભ યોજાયો, જેમાં ધારાસભ્ય અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. દિલીપકુમાર જામનગર AROથી જોડાયા અને પોકરણ ગઢથી લઈને ચીન બોર્ડર સુધી ફરજ બજાવી, ઉરી સર્જિકલ સ્ટ્રાઇક સમયે તેઓ જમ્મુ-કાશ્મીર બોર્ડર પર તૈનાત હતા. 21 years ની સેવા બાદ તેઓ નિવૃત્ત થયા.