છોટા ઉદેપુરના પોટલીયા ગામે મચ્છરોની ધૂપથી ભીષણ આગ
છોટા ઉદેપુરના પોટલીયા ગામે મચ્છરોની ધૂપથી ભીષણ આગ
Published on: 22nd August, 2026

છોટા ઉદેપુરના પોટલીયા ગામે મચ્છરોના ઉપદ્રવથી બચવા કરાયેલી ધૂપથી ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. પવનના કારણે આગ ઓરડામાં ફેલાતાં ત્રણ ભેંસ, એક પાડો અને એક બળદ સહિત પાંચ પશુઓ ઝપેટમાં આવી ગયા હતા. ઘરવખરીનો સામાન અને મોટી માત્રામાં ઘાસચારો પણ બળીને ખાખ થઈ જતાં અસરગ્રસ્ત પરિવારને મોટું આર્થિક નુકસાન થયું છે. સાંસદના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સહિતના આગેવાનો ઘટના સ્થળે પહોંચી અસરગ્રસ્ત પરિવારને સાંત્વના આપી મદદનું આશ્વાસન આપ્યું હતું.