ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં વલસાડમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન
ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં વલસાડમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન
Published on: 22nd August, 2026

ભાવનગરના ગંભીર લઠ્ઠાકાંડના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા વલસાડમાં સરકાર સામે પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. AAPના પ્રમુખ, હોદ્દેદારો અને કાર્યકરોએ ટાવર ખાતે સૂત્રોચ્ચાર સાથે આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહી અને રાજ્યમાં ગેરકાયદે દારૂના વેચાણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી. પાર્ટીએ લોકોને જીવન અને સુરક્ષા સાથે ચેડાં કરતી ઘટનાઓ સામે સતત અવાજ ઉઠાવવાનું અને લોકહીત માટે લડત ચાલુ રાખવાનું જણાવ્યું.