મહીસાગરમાં ડ્રોનથી પોલીસનું સઘન ચેકિંગ
મહીસાગરમાં ડ્રોનથી પોલીસનું સઘન ચેકિંગ
Published on: 22nd August, 2026

ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 10 થયો અને 61 લોકોની તબિયત લથડી છે. આ ઘટનાના પડઘા મહીસાગર અને અમરેલી જેવા જિલ્લાઓમાં પણ પડી રહ્યા છે. મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા તપાસ તેજ કરાઈ છે, જેમાં કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં DYSP અને PI સહિતના સ્ટાફે આગરવાડા ખાતે મહીસાગર નદી પટ પર ડ્રોન દ્વારા સઘન ચેકિંગ કર્યું. આ દરમિયાન, ઘોડાના મુવાડા ગામ ખાતે જંગલ વિસ્તારમાં મળેલી દારૂની ભઠ્ઠીનો નાશ કરાયો. બીજી તરફ, અમરેલીમાં AAP દ્વારા ભાવનગર નકલી દારૂકાંડના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું અને રાજ્ય ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરાઈ.