રોડ અકસ્માતથી લકવાગ્રસ્ત દીપડાને મળ્યું નવજીવન
રોડ અકસ્માતથી લકવાગ્રસ્ત દીપડાને મળ્યું નવજીવન
Published on: 22nd August, 2026

અરવલ્લી નજીક માર્ગ અકસ્માતમાં કરોડરજ્જુમાં ગંભીર ઈજા પામેલા દીપડાને ગાંધીનગર સ્થિત GEER ફાઉન્ડેશન દ્વારા વિશેષ પશુચિકિત્સા સારવાર અને 10થી વધુ ઓપરેશનો બાદ પુનર્વસન મળ્યું છે. 19મી જાન્યુઆરીએ થયેલા અકસ્માતમાં દીપડાના પાછળના પગ લકવાગ્રસ્ત થઈ ગયા હતા, પરંતુ સઘન સારવાર બાદ તેણે ખોરાક લેવાનું, ચાલવાનું અને સામાન્ય વર્તન શરૂ કર્યું. કરોડરજ્જુની ઈજાને કારણે તેને ફરી કુદરતી વાતાવરણમાં છોડી શકાય તેમ નથી, તેથી હવે તે ઇન્દ્રોડા નેચર પાર્કમાં રહેશે.