કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર
કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર
Published on: 22nd August, 2026

ગુજરાત યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર બુલડોઝર ફેરવવામાં આવનાર હોવાથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે નેચર પ્રોજેક્ટમાં ગેરરીતિ અને કૌભાંડના ગંભીર આરોપો લગાવ્યા છે. લગભગ ૨૫ કરોડ રૂપિયાના ખર્ચે આર્બોરેટમ અને નક્ષત્ર વન બનાવવા માટે ટેન્ડર અપાયા હતા, જેમાં વૃક્ષો, વનસ્પતિઓ અને પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ નિર્માણ કરવાનો હેતુ હતો. જોકે, હવે આ પ્રોજેક્ટના અસ્તિત્વ પર સવાલો ઉઠી રહ્યા છે અને નેચરલ વેટલેન્ડ ગાયબ થઈ ગયાનો દાવો છે. કોંગ્રેસે સમગ્ર મામલે તપાસની માંગ કરી છે.