સુરત: કતારગામનો AQI 300ને પાર થતા પાલિકાની કાર્યવાહી, 34 ચીમનીઓ પર બાજ નજર રાખવામાં આવશે.
સુરત: કતારગામનો AQI 300ને પાર થતા પાલિકાની કાર્યવાહી, 34 ચીમનીઓ પર બાજ નજર રાખવામાં આવશે.
Published on: 05th February, 2026

સુરત શહેરમાં હવાની ગુણવત્તા ઘટતા, પાલિકા કતારગામમાં AQI 300ને પાર થતા એક્શનમાં આવી છે. બાંધકામ સાઇટ્સ પર 'ગ્રીન નેટ' પછી, 34 ઔદ્યોગિક ચીમનીઓ પર નજર રાખવામાં આવશે. SMC અને GPCB સાથે મળીને પ્રદૂષણ ઘટાડવા કાર્ય કરશે, ચીમનીઓ દ્વારા છોડવામાં આવતા ધુમાડા અને ઝેરી ગેસના સ્તરની નિયમિત ચકાસણી કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી થશે.