જામનગર મનપાની ફૂડ શાખા દ્વારા પનીર વિક્રેતાઓની ચકાસણી
જામનગર મનપાની ફૂડ શાખા દ્વારા પનીર વિક્રેતાઓની ચકાસણી
Published on: 07th August, 2026

Jamnagar મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને શહેરમાં પનીર અને દૂધજન્ય ખાદ્ય પદાર્થોના વેચાણ પર સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે 17 વેપારીઓને ત્યાં થયેલી તપાસમાં અંદાજે 27 કિલો અખાદ્ય પનીરનો નાશ કરાયો હતો. આજે સતત બીજા દિવસે પણ રણજીત સાગર રોડ પર જુદી જુદી બે ટીમો દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ વગેરેમાં ચેકિંગ ચાલુ છે. ફૂડ શાખાએ ગુણવત્તા વિનાનું પનીર વેચવા સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. આ કાર્યવાહી રાજ્યના આરોગ્ય મંત્રીના નિર્દેશો બાદ શરૂ થઈ છે.