જામનગરમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસ
જામનગરમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસ
Published on: 07th August, 2026

જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઈરસના વધતા જતા શંકાસ્પદ કેસો ચિંતાનો વિષય બન્યા છે. ધ્રોલ તાલુકામાં 6 વર્ષીય બાળકના શંકાસ્પદ લક્ષણો બાદ રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે, જેના સેમ્પલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ ઘટના સાથે જિલ્લામાં મૃત્યુઆંક 6 થયો છે. અગાઉ જામનગરની જી.જી. હોસ્પિટલમાં 5 બાળકોના મોત થયા હતા. હાલમાં, જી.જી. હોસ્પિટલમાં 3 બાળકો સારવાર હેઠળ છે, જેમાં એક ગંભીર બાળક વેન્ટિલેટર પર છે. આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ અને તકેદારીના પગલાં ભર્યા છે.