એનાલોગ પનીર પર પ્રતિબંધ: રાજ્યભરમાં ૧૫૬ એકમો પર દરોડા
એનાલોગ પનીર પર પ્રતિબંધ: રાજ્યભરમાં ૧૫૬ એકમો પર દરોડા
Published on: 07th August, 2026

રાજ્યમાં એનાલોગ પનીર અને અખાદ્ય ડેરી ઉત્પાદનો પર પ્રતિબંધ બાદ ગુરુવારે રાજ્યભરમાં કડક કાર્યવાહી કરવામાં આવી. ખોરાક અને ઔષધ નિયમન પ્રશાસન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 156 એકમોમાં તપાસ હાથ ધરાઈ. શંકાસ્પદ પનીરના 50 નમૂના પરીક્ષણ અર્થે મોકલાયા અને 1053 કિલો અખાદ્ય જથ્થો, જેની કિંમત 3.62 લાખ રૂપિયા હતી, તેનો નાશ કરાયો. આ ઝુંબેશ અંતર્ગત કુલ 156 સ્થળોએ તપાસ થઈ, જેમાં 28 નમૂના રાજ્ય પ્રશાસન અને 22 નમૂના AMC દ્વારા લેવાયા. આ કાર્યવાહીથી ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.