ગુજરાતમાં હજુ 24.52 લાખ ઘરો નળ કનેક્શન વિહોણા
ગુજરાતમાં હજુ 24.52 લાખ ઘરો નળ કનેક્શન વિહોણા
Published on: 12th September, 2026

ગુજરાતમાં જળ જીવન મિશન યોજનાના અમલીકરણમાં ગંભીર ખામીઓ જણાઈ છે. કેગના રિપોર્ટ મુજબ, નવેમ્બર ૨૦૨૪ સુધીમાં ૭૨.૧૪ લાખ ગ્રામીણ ઘરોને નળ જોડાણ આપવાના લક્ષ્યાંક સામે માત્ર ૪૭.૬૨ લાખ ઘરોને જ જોડાણ મળ્યું છે, એટલે કે ૩૪% ઘરો હજુ પણ વંચિત છે. આશ્ચર્યજનક રીતે, નળ જોડાણ ન હોવા છતાં અનેક ગામોને ‘હર ઘર જલ’ જાહેર કરાયા હતા. કેન્દ્રના સર્વેમાં પણ ૮૯.૫% નળમાં પાણી આવતું હતું, જ્યારે ૧૧.૬% કનેક્શન વપરાશ વિનાના જણાયા. યોજનાના આયોજન, અમલીકરણ, ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ અને ગુણવત્તાની ચકાસણીનો અભાવ પણ નોંધાયો છે.