‘હર ઘર જલ’ યોજના: કાગળ પર 100% વાસ્તવમાં 26% નમૂના ફેલ
‘હર ઘર જલ’ યોજના: કાગળ પર 100% વાસ્તવમાં 26% નમૂના ફેલ
Published on: 12th September, 2026

રાજ્યમાં ‘જલ જીવન મિશન’ હેઠળ ‘હર ઘર જલ’ યોજનાના દાવાઓ સામે કેગ (CAG) રિપોર્ટમાં ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ, 26% પાણીના નમૂના પીવા માટે અયોગ્ય સાબિત થયા છે, જ્યારે 71,842 ઘરોમાં હજુ પણ નળ જોડાણ નથી. સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી કોન્ટ્રાક્ટરોને ₹72.97 કરોડની વધારાની ચુકવણી કરવામાં આવી છે. પાણી વેરાની બાકી રકમ ₹236.55 કરોડ પર પહોંચી ગઈ છે, જે યોજનાના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જે છે. ગાંધીનગર જિલ્લામાં ‘વિલેજ એક્શન પ્લાન’નો અભાવ જોવા મળ્યો છે, જે યોજનાના પાયાને નબળો પાડે છે.