સેલવાસમાં બે પિતરાઈ બહેનોએ બ્રિજ પરથી ઝંપલાવ્યું
સેલવાસમાં બે પિતરાઈ બહેનોએ બ્રિજ પરથી ઝંપલાવ્યું
Published on: 19th August, 2026

સેલવાસ નજીક રખોલી બ્રિજ પરથી બે સગીર પિતરાઈ બહેનોએ અગમ્ય કારણોસર નદીમાં છલાંગ લગાવી. બંનેના પ્રેમ સંબંધની જાણ પરિવારને હતી અને પુખ્તવયની થયા બાદ લગ્નની સંમતિ પણ અપાઈ ચૂકી હતી. તેમ છતાં, આઘાતજનક પગલું ભરવા પાછળનું કારણ હજુ અસ્પષ્ટ છે. આ ઘટનામાં એક બહેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે બીજી બહેનને ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.