વડોદરા ખોરાક શાખા દ્વારા હરિઓમ કાઠીયાવાડી રેસ્ટોરન્ટ સીલ
વડોદરા ખોરાક શાખા દ્વારા હરિઓમ કાઠીયાવાડી રેસ્ટોરન્ટ સીલ
Published on: 19th August, 2026

વડોદરા શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા ચકાસવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું. સમા-સાવલી રોડ પરની હરિઓમ કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં અનહાઇજેનિક પરિસ્થિતિ જણાતાં તેને તાત્કાલિક બંધ કરાવી સીલ મારવામાં આવી. ફ્રિજમાંથી વાસી ચણા અને ગ્રેવી મળ્યા, જેનો સ્થળ પર નાશ કરાયો. સ્ટોરેજ એરિયામાં પણ ગંદકી જોવા મળી. સંચાલકને નોટિસ અપાઈ. પ્રતિબંધિત પનીર, ચીઝ, બટર સામે પણ તપાસ ચાલી રહી છે.