આણંદવાસીઓ માટે સારા સમાચાર: ગંભીરા બ્રિજ તૈયાર, લોકાર્પણની તારીખની રાહ
આણંદવાસીઓ માટે સારા સમાચાર: ગંભીરા બ્રિજ તૈયાર, લોકાર્પણની તારીખની રાહ
Published on: 19th August, 2026

વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહત્ત્વપૂર્ણ મુજપુર ગંભીરા બ્રિજ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થયો છે. 40 વર્ષ જૂના બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે Rs 200 કરોડના ખર્ચે આધુનિક બ્રિજનું નિર્માણ કર્યું છે. ઈપોક્ષી કોટેડ સ્ટીલ અને પ્રિકાસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે, જે બ્રિજનું આયુષ્ય વધારશે. નિરીક્ષણ માટે ખાસ પ્લેટફોર્મ પણ છે. હાલ ટેકનિકલ ચકાસણી ચાલી રહી છે અને ઓગસ્ટ 2026 ના અંત સુધીમાં તે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે, જેનાથી પ્રવાસ સમય ઘટશે અને રાહત મળશે.