પાલીતાણા હોસ્પિટલમાં ₹50.43 લાખનું ભૂગર્ભ ટાંકી કૌભાંડ
પાલીતાણા હોસ્પિટલમાં ₹50.43 લાખનું ભૂગર્ભ ટાંકી કૌભાંડ
Published on: 19th August, 2026

પાલીતાણા હોસ્પિટલમાં 2.55 લાખ લીટરની ભૂગર્ભ પાણીની ટાંકીનું નિર્માણ થયું ન હોવા છતાં, ₹50.43 લાખનું બિલ રજૂ કરાયું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની મુલાકાત દરમિયાન આ ગેરરીતિ બહાર આવી. સ્થળ પર કામ ન થયું હોવા છતાં બિલ પાસ કરવાના પ્રયાસ સામે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ. આ મામલે કાર્યપાલક ઈજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઈજનેર એન.વી. કાલીયા સામે FIR તથા સસ્પેન્શનના આદેશ અપાયા છે. સુરતની 'ધર્મનંદન કન્સ્ટ્રકશન' એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.