સુરતમાં શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિની ચર્ચા વચ્ચે નવી ફરજોનો બોજ
સુરતમાં શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિની ચર્ચા વચ્ચે નવી ફરજોનો બોજ
Published on: 30th August, 2026

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર SIR કામગીરી, પ્રવેશોત્સવ, વસ્તી ગણતરી, અને હવે સિગ્નલ સ્કૂલ કાર્યક્રમ જેવી અનેક નવી જવાબદારીઓનો બોજ વધી રહ્યો છે. શનિવારે સિગ્નલ સ્કૂલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં શિક્ષકોને વિદ્યાર્થીઓની જેમ દોઢ કલાક વહેલા બોલાવી ઓડિટોરિયમમાં બેસાડી રાખતાં શિક્ષકોમાં નારાજગી જોવા મળી હતી. બીજી તરફ, અતિવૃષ્ટિની રજાઓની ભરપાઈ માટે વાસી બળેવની રજા પણ રદ કરવામાં આવી છે, જેના કારણે શૈક્ષણિક સમય બચાવવાનો પ્રયાસ છે. જોકે, આ બચાવેલો સમય આવા કાર્યક્રમોમાં વપરાઈ રહ્યો હોવાથી તેની અસરકારકતા પર પ્રશ્નાર્થ સર્જાયો છે.