નડિયાદ નર્સિંગ કોલેજના વિદ્યાર્થી 'જય' આપઘાત કેસ: 5 દિવસ પછી પણ આરોપીઓની ધરપકડ નહીં.
નડિયાદ નર્સિંગ કોલેજના વિદ્યાર્થી 'જય' આપઘાત કેસ: 5 દિવસ પછી પણ આરોપીઓની ધરપકડ નહીં.
Published on: 10th February, 2026

નડિયાદની 'દિનશા પટેલ નર્સિંગ કોલેજ'ના વિદ્યાર્થી 'જય પાટીલ'ના આપઘાત કેસમાં મુખ્ય આરોપીઓની ધરપકડ 5 દિવસ બાદ પણ ન થતા દલિત સમાજમાં રોષ છે. કોલેજના પ્રિન્સિપાલ, ત્રણ પ્રોફેસરો અને સ્મિત નામના શખ્સ સહિત 5 ફરાર છે. દલિત સમાજે પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે, જો આરોપીઓ નહીં પકડાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે.