જામનગરની શાળામાં રાષ્ટ્રીય વાંચન દિવસની ભવ્ય ઉજવણી
જામનગરની શાળામાં રાષ્ટ્રીય વાંચન દિવસની ભવ્ય ઉજવણી
Published on: 25th July, 2026

ડિજિટલ યુગમાં બાળકોમાં પુસ્તકો પ્રત્યે પ્રેમ અને ઈતર વાંચનની ટેવ કેળવવા, શાળા પરિસરમાં "રાષ્ટ્રીય વાંચન દિવસ" ની વિશેષ ઉજવણી તા. 24 જુલાઈ ના રોજ કરવામાં આવી. જામનગરની પાર્વતીદેવી વિદ્યાલય-શાસ્ત્રી હાઈસ્કુલ દ્વારા વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અડધા દિવસીય વિશેષ વાંચન સત્ર યોજાયું. વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસક્રમ સિવાયના સાહિત્ય વાંચવા પ્રેરિત કરાયા. બાળભાસ્કર પૂર્તિઓ અને રસપ્રદ વાર્તાઓની ચોપડીઓ ઉપલબ્ધ કરાવી, લાયબ્રેરીમાં બાળકો ઉત્સાહપૂર્વક વાંચનમાં તલ્લીન જોવા મળ્યા. આચાર્ય ઓમભાઈ શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ રહ્યો.