સાબરકાંઠામાં ગુજકેટ માટે 16 કેન્દ્રો અને 157 બ્લોક ફાળવાયા, 29 માર્ચે 3071 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
સાબરકાંઠામાં ગુજકેટ માટે 16 કેન્દ્રો અને 157 બ્લોક ફાળવાયા, 29 માર્ચે 3071 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
Published on: 18th March, 2026

ધો.12 વિજ્ઞાન પ્રવાહ પછી ગુજકેટની હોલ ટિકિટ જાહેર થઈ છે. 29 માર્ચે સાબરકાંઠાના 16 કેન્દ્રો પર આશરે 3071 વિદ્યાર્થીઓ GUJCET પરીક્ષા આપશે. હિંમતનગર ઝોનમાં 157 બ્લોકમાં વ્યવસ્થા કરાઈ છે. જેમાં ગ્રુપ-A ના 914, ગ્રુપ-B ના 2145 અને ગ્રુપ-AB ના 12 વિદ્યાર્થીઓ GUJCET આપશે. ભૌતિક અને રસાયણ વિજ્ઞાનનું સંયુક્ત પેપર રહેશે અને જીવવિજ્ઞાન અને ગણિતના પેપર અલગ રહેશે. પરીક્ષા ગુજરાતી, હિન્દી અને ENGLISH માં લેવાશે.