વૃદ્ધ પૂજારીએ વિધિના નામે સગીરા પર કર્યો બળાત્કાર
વૃદ્ધ પૂજારીએ વિધિના નામે સગીરા પર કર્યો બળાત્કાર
Published on: 08th July, 2026

વડોદરાના અકોટા વિસ્તારમાં એક 70 વર્ષીય પૂજારી નરેન્દ્ર ભટ્ટ દ્વારા 17 વર્ષીય સગીરા પર વિધિના નામે બળાત્કાર ગુજારવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચિંતાતુર માતા-પિતાએ પોતાની દીકરીનું મન શાંત કરવા માટે પૂજારીનો સંપર્ક કર્યો હતો, જે બાદ તેણે ઘેર આવીને વિધિ કરવાના બહાને સગીરા પર બળાત્કાર ગુજાર્યો. આ ઘટનાના પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને નરેન્દ્ર ભટ્ટની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.