રામ મંદિર દાન ચોરી: ચંપત રાયનું સિક્રેટ નિવેદન લીક
રામ મંદિર દાન ચોરી: ચંપત રાયનું સિક્રેટ નિવેદન લીક
Published on: 08th July, 2026

અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીની તપાસ વચ્ચે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું SIT સમક્ષ આપેલું સિક્રેટ લેખિત નિવેદન લીક થયું છે. ચંપત રાયે પોતાના નિવેદનમાં દાનપાત્રમાંથી નીકળેલી રકમની ગણતરી, બેંકમાં જમા કરવાની પ્રક્રિયા અને વહીવટી નિર્ણયોથી પોતાને અલગ ગણાવ્યા છે. આ નિવેદન લીક થતાં ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાની ભૂમિકા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે અને અયોધ્યાનું રાજકારણ ગરમાયું છે. SIT એ અનિલ મિશ્રાને પૂછપરછ માટે નોટિસ મોકલી છે.