રામ મંદિર દાન ચોરી: ચંપત રાયનું સિક્રેટ નિવેદન લીક
અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીની તપાસ વચ્ચે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું SIT સમક્ષ આપેલું સિક્રેટ લેખિત નિવેદન લીક થયું છે. ચંપત રાયે પોતાના નિવેદનમાં દાનપાત્રમાંથી નીકળેલી રકમની ગણતરી, બેંકમાં જમા કરવાની પ્રક્રિયા અને વહીવટી નિર્ણયોથી પોતાને અલગ ગણાવ્યા છે. આ નિવેદન લીક થતાં ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાની ભૂમિકા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે અને અયોધ્યાનું રાજકારણ ગરમાયું છે. SIT એ અનિલ મિશ્રાને પૂછપરછ માટે નોટિસ મોકલી છે.
રામ મંદિર દાન ચોરી: ચંપત રાયનું સિક્રેટ નિવેદન લીક
ફિલ્મ 'પુષ્પા' જેવો live સીન: નદીમાં ચંદન નહીં, 3000 ગેસ સિલિન્ડર વહેતા જોવા મળ્યા
મહારાષ્ટ્રના રાયગઢમાં સુપરહિટ ફિલ્મ 'પુષ્પા: ધ રાઈઝ'ના એક સીનની જેમ જ નદીમાં લાલ ચંદન નહીં, પરંતુ આશરે 3000 LPG ગેસ સિલિન્ડર વહેતા જોવા મળ્યા. ભારે વરસાદ બાદ આવેલા પૂરમાં HPCL પ્લાન્ટમાંથી આ સિલિન્ડરો વહી ગયા હતા. જોકે, મોટાભાગના સિલિન્ડર ખાલી હોવાથી ગેસ લીકેજ કે બ્લાસ્ટનો મોટો ખતરો ટળી ગયો હતો. જિલ્લા કલેક્ટરે નાગરિકોને આ સિલિન્ડરોથી દૂર રહેવા અને કોઈ જોખમ ન ખેડવા અપીલ કરી છે. તંત્ર અને કંપની સંયુક્ત રીતે સિલિન્ડરોની શોધખોળ કરી રહ્યા છે.
ફિલ્મ 'પુષ્પા' જેવો live સીન: નદીમાં ચંદન નહીં, 3000 ગેસ સિલિન્ડર વહેતા જોવા મળ્યા
એર ઇન્ડિયાને બિઝનેસ ક્લાસની ખરાબ સીટના કારણે ચૂકવવા પડશે 20 લાખ!
એર ઇન્ડિયાને એક ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં મુસાફરને ખરાબ બિઝનેસ ક્લાસ સીટ આપવી ભારે પડી છે. રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચ (NCDRC) એ એરલાઇનને આદેશ આપ્યો છે કે, 73 વર્ષીય સિનિયર સિટીઝન મુસાફરને બિઝનેસ ક્લાસ ટિકિટના પૂરા પૈસા પાછા આપે અને 20 લાખ રૂપિયાનું વળતર તેમજ કાનૂની ખર્ચ ચૂકવે. પંચે જણાવ્યું કે 15 કલાકની લાંબી આંતરરાષ્ટ્રીય ઉડાનમાં આવી ખરાબ સીટ આપવી એ, Deficiency in Service છે. મુસાફરને 15 કલાકની મુસાફરીમાં તકલીફ પડી હતી.
એર ઇન્ડિયાને બિઝનેસ ક્લાસની ખરાબ સીટના કારણે ચૂકવવા પડશે 20 લાખ!
મુંબઈમાં મુશળધાર વરસાદ!
મુંબઈમાં સતત વરસાદ વચ્ચે પાણી પુરવઠા માટે રાહતના સમાચાર મળ્યા છે. વિહાર બાદ તુલસી તળાવ પણ ઓવરફ્લો થયું છે, જેના કારણે શહેરને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં કુલ જળસંગ્રહ ક્ષમતાના 41.43 ટકા સુધી પહોંચી ગયો છે. તુલસી તળાવ મુંબઈને દરરોજ આશરે 1.8 કરોડ લીટર પાણી પૂરું પાડે છે અને તેનું વધારાનું પાણી વિહાર તળાવમાં જાય છે. સતત વરસાદને કારણે આગામી દિવસોમાં અન્ય જળાશયોની સપાટીમાં પણ વધારો થવાની શક્યતા છે.
મુંબઈમાં મુશળધાર વરસાદ!
ટ્રમ્પના વિશ્વાસુની કંપનીને ભારત દર મહિને આપશે 1.50 લાખ ડોલર
પહલગામ આતંકી હુમલા બાદ, આંતરરાષ્ટ્રીય મંચ પર પક્ષ રજૂ કરવા ભારતે અમેરિકાની લોબિંગ ફર્મ 'SHW પાર્ટનર્સ LLC' સાથેનો કોન્ટ્રેક્ટ વધુ એક વર્ષ માટે રિન્યૂ કર્યો છે. આ ફર્મ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સાથીદાર જેસન મિલરની છે. FARA હેઠળ, ભારત દર મહિને $1,50,000 ચૂકવશે, જે વાર્ષિક $1.8 મિલિયન થશે. આ કોન્ટ્રેક્ટ 23 એપ્રિલ, 2027 સુધી ચાલશે. આ ફર્મ વ્યૂહાત્મક સલાહ, ટેક્ટિકલ પ્લાનિંગ અને અમેરિકન સરકાર સમક્ષ ભારતનો પક્ષ રજૂ કરવામાં મદદ કરશે.
ટ્રમ્પના વિશ્વાસુની કંપનીને ભારત દર મહિને આપશે 1.50 લાખ ડોલર
મમતાએ કાર્યકર્તાને માર્યો થપ્પો!
પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલી દરમિયાન BJP અને TMC કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના બની, જેમાં 41 લોકો ઘાયલ થયા. આ દરમિયાન, વાયરલ થયેલા વીડિયોમાં મમતા બેનર્જી પોતાના જ એક કાર્યકર્તાને થપ્પડ મારતા જોવા મળ્યા. આ ઘટના કાલીઘાટ ખાતે બની હતી. રેલીમાં BJP સમર્થકોએ ઘૂસણખોરી કરી હોવાનો TMCનો આરોપ છે, જેના પગલે પથ્થરમારો થયો હતો. ઘાયલોને SSKM હોસ્પિટલમાં દાખલ કરાયા છે. TMCએ BJP ગુંડાઓ પર નિર્દયતાનો આરોપ મૂક્યો છે.
મમતાએ કાર્યકર્તાને માર્યો થપ્પો!
ઇન્ડોનેશિયાનાં ૧ હજાર વર્ષ પ્રાચીન હિન્દુ મંદિર 'પ્રમ્બાનન'ની મુલાકાત લીધી PM નરેન્દ્ર મોદીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન ૯મી સદીમાં બનેલા અને ભગવાન શિવને સમર્પિત પ્રમ્બાનન મંદિરની મુલાકાત લીધી. આ ૧ હજાર વર્ષ પ્રાચીન હિન્દુ મંદિર યોગ્યાકર્તા નગરથી ૧૭ કિ.મી. ઉત્તર-પૂર્વમાં આવેલું છે અને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરાયેલું છે. તેના જિર્ણોદ્ધાર અને સંરક્ષણમાં ભારત સક્રિય સહાય કરી રહ્યું છે, જે બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોનું પ્રતિક છે.
ઇન્ડોનેશિયાનાં ૧ હજાર વર્ષ પ્રાચીન હિન્દુ મંદિર 'પ્રમ્બાનન'ની મુલાકાત લીધી PM નરેન્દ્ર મોદીએ
સોનમ વાંગચુકના ઉપવાસ વચ્ચે અભિજીત દીપકના નૂડલ્સ ખાતાં વીડિયો પર વિવાદ
નવી દિલ્હીના જંતર-મંતર પર સોનમ વાંગચુકના ઉપવાસ વચ્ચે CJP સ્થાપક અભિજીત દીપકેનો ફૂડ વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. વીડિયોમાં તેઓ કચોરી, બ્રેડ પકોડા અને નૂડલ્સ ખાતા દેખાય છે, જેના કારણે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શા માટે તેઓ ઉપવાસ પર નથી. દીપકેએ સ્પષ્ટતા કરી કે વીડિયો જૂનો છે અને ખોટા સંદર્ભમાં રજૂ કરાયો છે. તેમણે જણાવ્યું કે, આંદોલનને નબળું પાડવાનો પ્રયાસ છે અને કોર ટીમની જવાબદારીઓ સમજાવી.
સોનમ વાંગચુકના ઉપવાસ વચ્ચે અભિજીત દીપકના નૂડલ્સ ખાતાં વીડિયો પર વિવાદ
બેંગલુરુમાં રસ્તા પર દેખાયો કોબ્રા, ફેણ ફેલાવીને બેસી જતા 30 મિનિટ ટ્રાફિક જામ
બેંગલુરુના પેલેસ રોડ પર 7 જુલાઈની સાંજે રસ્તાની વચ્ચે ફેણ ફેલાવીને બેઠેલા કોબ્રાના કારણે લગભગ 30થી 40 મિનિટ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો રમૂજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જાણ થતાં પોલીસ અને વન વિભાગની ટીમે સુરક્ષિત રીતે સાપનું રેસ્ક્યૂ કર્યું, જેમાં કોઈને ઈજા પહોંચી નહોતી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ શહેરીકરણ અને બદલાતા હવામાનને કારણે વન્યજીવો શહેરોમાં જોવા મળી રહ્યા છે.
બેંગલુરુમાં રસ્તા પર દેખાયો કોબ્રા, ફેણ ફેલાવીને બેસી જતા 30 મિનિટ ટ્રાફિક જામ
દિલ્હીમાં ભારે વરસાદ વચ્ચે બિલ્ડિંગ ધરાશાયી!
દિલ્હીના રોહિણી સેક્ટર 16 માં ભારે વરસાદને કારણે એક જૂનું મકાન અચાનક ધરાશાયી થયું. સાંજે 4:20 વાગ્યે બનેલી આ ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્રને મકાનના કાટમાળ નીચે કેટલાક લોકો દબાયેલા હોવાની આશંકા છે. ફાયર સર્વિસની 4 ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજુ સુધી સ્પષ્ટતા નથી.
દિલ્હીમાં ભારે વરસાદ વચ્ચે બિલ્ડિંગ ધરાશાયી!
હોર્મુઝમાં ભારતીય ટેન્કરોને ‘નો એન્ટ્રી’!
મિડલ ઈસ્ટના હોર્મુઝ જળમાર્ગમાં અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ઈરાને ઓમાન કોરિડોરથી પસાર થતા એક ભારતીય તેલ ટેન્કરને રોકી પરત મોકલી દીધું. IRGCએ જહાજોને ઈરાન નિર્ધારિત માર્ગનો ઉપયોગ કરવાની ચેતવણી આપી છે. અગાઉ ગુજરાત આવી રહેલા LNG જહાજ અને સાઉદી ટેન્કર પર પણ હુમલા થયા હતા, જોકે તમામ ક્રૂ સુરક્ષિત રહ્યા. જવાબમાં અમેરિકાએ ઈરાનના 80થી વધુ લશ્કરી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી, જ્યારે ઈરાને કુવૈત અને બહેરીન પર વળતા હુમલા કર્યા.
હોર્મુઝમાં ભારતીય ટેન્કરોને ‘નો એન્ટ્રી’!
રામ મંદિર ચઢાવા ચોરી: ટેન્ડર વિના ખાનગી એજન્સીને રોકડ ગણવાની જવાબદારી સોંપાઈ
અયોધ્યા રામ મંદિરમાં ચઢાવાના નાણાંમાં થયેલી કથિત ગડબડની તપાસમાં હવે ભારતીય સ્ટેટ બેંક (SBI)ની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. દાનની રકમ ગણવાની જવાબદારી કોઈ પણ કાનૂની ટેન્ડર પ્રક્રિયા વિના જ 'સૈનિક સિક્યોરિટી સર્વિસીસ' નામની ખાનગી એજન્સીને સોંપાઈ હતી. આ એજન્સી સુરક્ષા અને હાઉસકીપિંગ જેવી સેવાઓ પૂરી પાડે છે, પરંતુ તેને રોકડ ગણવા જેવી અત્યંત સંવેદનશીલ કામગીરી સોંપાતા વિવાદ સર્જાયો છે. Standard Operating Procedure (SOP) ના પાલન પર પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
રામ મંદિર ચઢાવા ચોરી: ટેન્ડર વિના ખાનગી એજન્સીને રોકડ ગણવાની જવાબદારી સોંપાઈ
મમતા બેનર્જીની રેલીમાં TMC-BJP વચ્ચે મારામારી, 'ચોર... ચોર...' ના નારા
પશ્ચિમ બંગાળના કોલકાતામાં મમતા બેનર્જીની રેલી દરમિયાન TMC અને BJP કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હિંસક ઝપાઝપી થઈ. કાર્યકર્તાઓએ 'ચોર, ચોર' ના નારા લગાવ્યા. પોલીસે સ્થિતિ સંભાળી. મમતા બેનર્જીએ પોલીસ અને વહીવટી તંત્ર પર રેલી રોકવાનો પ્રયાસ કરવાનો અને ભાજપને મદદ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે હાઈકોર્ટની મંજૂરી હોવા છતાં પોલીસ શાંતિપૂર્ણ રેલી યોજવામાં નિષ્ફળ રહી અને તેમના કાર્યકર્તાઓને માર માર્યો.
મમતા બેનર્જીની રેલીમાં TMC-BJP વચ્ચે મારામારી, 'ચોર... ચોર...' ના નારા
જાણો જાણીતા બિઝનેસમેન હર્ષ ગોએન્કાનો '3-30-300 રુલ ઓફ લાઈફ'
RPG એન્ટરપ્રાઇઝીસના ચેરમેન હર્ષ ગોએન્કાનો "3-30-300 રૂલ ઓફ લાઇફ" સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ ફોર્મ્યુલા વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસમાં સંબંધોની અસર સમજાવે છે. તે મુજબ, 3 લોકો તમારું મૂળ વ્યક્તિત્વ ઘડે છે, 30 લોકો વિચારસરણીને વિસ્તૃત કરે છે, અને 300 લોકો વ્યાવસાયિક તકો માટે નેટવર્ક વધારે છે. આ નિયમ યોગ્ય લોકોની પસંદગી અને સમયના સદુપયોગ પર ભાર મૂકે છે. તમારી આસપાસના લોકો તમારા ભવિષ્યને ઘડે છે, તેથી તેમની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરવી જોઈએ.
જાણો જાણીતા બિઝનેસમેન હર્ષ ગોએન્કાનો '3-30-300 રુલ ઓફ લાઈફ'
અમદાવાદમાં નશામાં AMTS ડ્રાઈવર રુટ ભૂલ્યો!
અમદાવાદમાં AMTS બસ ડ્રાઈવર નશાની હાલતમાં રુટ ભૂલી જતાં એક ગંભીર અકસ્માત સર્જાયો. સાળંગપુરથી એલિસબ્રિજ તરફ જઈ રહેલી બસને બદલે ડ્રાઈવરે તેને રિવરફ્રન્ટ તરફ હંકારી દીધી અને બ્રિજ નીચે આવેલા ડિવાઈડર સાથે અથડાવી દીધી. પોલીસ પૂછપરછમાં ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું સ્પષ્ટ થયું, જેના કારણે તેને નિર્ધારિત રૂટની દિશાનું પણ ભાન રહ્યું ન હતું. પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી બસ કબજે લીધી અને ગુનો નોંધ્યો. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
અમદાવાદમાં નશામાં AMTS ડ્રાઈવર રુટ ભૂલ્યો!
ICC T20 રેન્કિંગમાં ઉથલપાથલ: શ્રેયસ અય્યરની 425 ક્રમની છલાંગ
ICC Men's રેન્કિંગમાં ઈંગ્લિશ ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો. જેકબ બેથેલ T20 બેટ્સમેનોમાં 8મા નંબરે, સેમ કરન બેટિંગમાં 108મા અને બોલિંગમાં 71મા, જ્યારે ઓલરાઉન્ડર્સમાં 13મા ક્રમે પહોંચ્યો. બીજી તરફ, ભારતીય ખેલાડી શ્રેયસ અય્યર બેટ્સમેનોની યાદીમાં 425 ક્રમની છલાંગ લગાવી 93મા નંબરે આવ્યો. ઈશાન કિશન નંબર-1 બેટ્સમેન યથાવત છે, જ્યારે અભિષેક શર્મા અને તિલક વર્મા ટોપ-10માં સામેલ છે. રાશિદ ખાન બોલિંગમાં નંબર-1 પર છે.
ICC T20 રેન્કિંગમાં ઉથલપાથલ: શ્રેયસ અય્યરની 425 ક્રમની છલાંગ
34 કરોડ કર્મચારીઓ માટે ખુશખબર: 15 જુલાઈ સુધીમાં EPFOની નવી સિસ્ટમ લાગુ
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) 34 કરોડ PF ખાતાધારકો માટે 8.25% વ્યાજ આગામી 15 જુલાઈ સુધીમાં જમા કરશે. નવી સેન્ટ્રલાઈઝ્ડ IT સિસ્ટમ (CITES 2.01) લાગુ થવાથી PF સેવાઓ વધુ સરળ, પારદર્શક અને ઝડપી બનશે. આ સિસ્ટમ હેઠળ, ક્લેમ સબમિટ કરતા પહેલાં જ ભૂલો પકડાઈ જશે, જેનાથી ક્લેમ રિજેક્ટ થવાની શક્યતા ઘટશે. PF ઉપાડવાના નિયમો પણ સરળ બન્યા છે. ઓટો ક્લેમ સેટલમેન્ટની મર્યાદા 1 લાખથી વધીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. નોકરી બદલનારાઓ માટે PF એકાઉન્ટ ઓટો ટ્રાન્સફર થશે.
34 કરોડ કર્મચારીઓ માટે ખુશખબર: 15 જુલાઈ સુધીમાં EPFOની નવી સિસ્ટમ લાગુ
EDએ TMCના 440 કરોડ રૂપિયા જમા બેંક ખાતા ફ્રીઝ કર્યા
EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ TMC સાથે જોડાયેલા 3 બેંક ખાતા ફ્રીઝ કર્યા છે, જેમાં 440 કરોડ રૂપિયા જમા છે. આ કાર્યવાહી કથિત શંકાસ્પદ વ્યવહારો અને ચાર્ટર્ડ પ્લેનના ખર્ચની તપાસ માટે કરાઈ છે. EDએ કોલકાતામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં 'કેરવેલ ગ્રુપ ઓફ કંપનીઝ'નો પણ સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું કે, TMCના ખાતાઓમાંથી 'કેરવેલ એવિએશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ' અને તેની સહયોગી કંપનીના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર થઈ હતી, જેનો ઉપયોગ 'એમ્બ્રેયર લિગસી 600' કોર્પોરેટ વિમાન અને 'અગસ્તા વેસ્ટલેન્ડ 109SP' હેલિકોપ્ટર ખરીદવા માટે થયો હતો.
EDએ TMCના 440 કરોડ રૂપિયા જમા બેંક ખાતા ફ્રીઝ કર્યા
મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં કચરાનો પહાડ ધરાશાયી
મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં કચરાનો વિશાળ ઢગલો ત્રણ માળની ઈમારત પર ધરાશાયી થયો. આ ઘટનામાં અંદાજે 16 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. મોશી વિસ્તારમાં બનેલી આ દુર્ઘટનામાં, પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC) માટે વેસ્ટ પ્રોસેસિંગ કરતી કંપનીની એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ દબાઈ ગઈ. સતત ભારે વરસાદને કારણે કચરાનો ઢગલો ઢીલો પડી સરકી ગયો હતો. NDRF, ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી મેડિકલ સર્વિસિસની ટીમો યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે.
મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં કચરાનો પહાડ ધરાશાયી
રામ મંદિરમાં નકલી પહોંચથી શ્રદ્ધાળુઓને છેતરવાનો મોટો ખુલાસો
રામ મંદિરમાં દાનની ચોરીના મામલે નવા ખુલાસા થયા છે. તપાસ દરમિયાન પોલીસને 'શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર'ના નામે છાપવામાં આવેલી નકલી દાન પહોંચ બુક મળી આવી છે. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ માત્ર દાનની ચોરી જ નહોતા કરતા, પરંતુ ભક્તોને નકલી પહોંચ આપીને સીધા પૈસા પણ પડાવતા હતા. આ નકલી પહોંચ અસલી જેવી જ દેખાતી હતી, જેના કારણે ભક્તો છેતરાતા રહ્યા. નવી ઑનલાઇન સિસ્ટમ શરૂ થતાં આ કૌભાંડનો અંત આવ્યો. તત્કાલીન મહાસચિવ ચંપત રાયની ભૂમિકા અને FIR ન થવા પર સવાલો ઉઠી રહ્યા છે.
રામ મંદિરમાં નકલી પહોંચથી શ્રદ્ધાળુઓને છેતરવાનો મોટો ખુલાસો
હેડ કોચ ગંભીરે સંજુ સેમસનને ડ્રોપ કરવા અંગે તોડ્યું મૌન
ભારતીય ટીમ અને પ્લેઇંગ 11માંથી સંજુ સેમસનને શા માટે બહાર કરવામાં આવ્યા છે તે અંગે હેડ કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે સેમસનને પર્સનલી સ્પષ્ટતા આપી દેવામાં આવી છે, જે ખેલાડી અને કોચ વચ્ચેની ખાનગી વાતચીત છે. ગંભીરે કહ્યું કે T20 World Cupમાં સેમસનનું પ્રદર્શન અદ્ભુત હતું, પરંતુ ટીમ ઇન્ટરેસ્ટ અને વર્તમાન ફોર્મ ધ્યાનમાં લેવું પડે છે. ગંભીરે સેમસનના કમબેક અંગે આશાવાદ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે ટીમ મેનેજમેન્ટ જીત માટે શ્રેષ્ઠ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરે છે.
હેડ કોચ ગંભીરે સંજુ સેમસનને ડ્રોપ કરવા અંગે તોડ્યું મૌન
જોફ્રા આર્ચરે IPLની પીચ અને બાઉન્ડ્રી વિશે ખોલ્યો મોટો ખુલાસો
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે IPLની સરળ પીચો અને નાની બાઉન્ડ્રીનો ઉલ્લેખ કરીને મોટી વાત કહી છે. તેમણે જણાવ્યું કે ભારતમાં IPL દરમિયાન પરિસ્થિતિઓ એવી હતી કે 200 રનનો સ્કોર પણ સુરક્ષિત નહોતો. આનાથી વિપરીત, ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં બોલિંગ કરવી તેમના માટે વધુ સામાન્ય છે. ભારતીય બેટ્સમેનોને બ્રિટનમાં ક્રિકેટ રમવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે તેઓ T20 સિરીઝમાં સંઘર્ષ કરી રહ્યા છે.
જોફ્રા આર્ચરે IPLની પીચ અને બાઉન્ડ્રી વિશે ખોલ્યો મોટો ખુલાસો
વૃદ્ધ પૂજારીએ વિધિના નામે સગીરા પર કર્યો બળાત્કાર
વડોદરાના અકોટા વિસ્તારમાં એક 70 વર્ષીય પૂજારી નરેન્દ્ર ભટ્ટ દ્વારા 17 વર્ષીય સગીરા પર વિધિના નામે બળાત્કાર ગુજારવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચિંતાતુર માતા-પિતાએ પોતાની દીકરીનું મન શાંત કરવા માટે પૂજારીનો સંપર્ક કર્યો હતો, જે બાદ તેણે ઘેર આવીને વિધિ કરવાના બહાને સગીરા પર બળાત્કાર ગુજાર્યો. આ ઘટનાના પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને નરેન્દ્ર ભટ્ટની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
વૃદ્ધ પૂજારીએ વિધિના નામે સગીરા પર કર્યો બળાત્કાર
PM મોદીએ ઇન્ડોનેશિયાના ૧૦૦૦ વર્ષ જૂના મંદિરની મુલાકાત લીધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાના ઐતિહાસિક પ્રમ્બાનન મંદિરની મુલાકાત લીધી. લગભગ ૧૦૦૦ વર્ષ જૂના આ હિન્દુ મંદિરના પુનર્નિર્માણ અને જીર્ણોદ્ધાર માટે ભારત હવે ઇન્ડોનેશિયા સાથે સહમતિ દર્શાવી રહ્યું છે. PM મોદીએ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે મળીને આ મંદિરના સંરક્ષણ અને પુનઃસ્થાપન પરિયોજનાનો શુભારંભ કર્યો. આ પરિયોજના બંને દેશો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક સહયોગનું પ્રતિક છે. PM મોદીએ મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી.
PM મોદીએ ઇન્ડોનેશિયાના ૧૦૦૦ વર્ષ જૂના મંદિરની મુલાકાત લીધી
રામ મંદિર દાન ચોરી: CCTV નિરીક્ષણમાં પણ લાલિયાવાડીનો ખુલાસો
અયોધ્યાના રામ મંદિરમાં દાનની ગેરરીતિની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસ માની રહી છે કે દસ્તાવેજો કરતાં આરોપીઓની સામસામે પૂછપરછથી વધુ સત્ય બહાર આવશે. જેલમાં બંધ અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા અને કરુણેશ પાંડેને રિમાન્ડ પર લઈને પૂછપરછ શરૂ કરાઈ છે. દાન ગણતરી રૂમમાં CCTV નિરીક્ષણમાં બેદરકારીનો ફાયદો ઉઠાવીને 6 કર્મચારીઓએ 2 થી 3 કરોડ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ રકમનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવા માટે કરાયો હતો. 79 લાખ રોકડ અને દાગીના રિકવર કરાયા છે.
રામ મંદિર દાન ચોરી: CCTV નિરીક્ષણમાં પણ લાલિયાવાડીનો ખુલાસો
એપલનો પહેલો ફોલ્ડેબલ iPhone ખરીદવો લોઢાના ચણા ચાવવા જેવું!
એપલનો પહેલો ફોલ્ડેબલ iPhone, જે સપ્ટેમ્બર 2026માં લોન્ચ થવાની સંભાવના છે, તેની ખરીદી યુઝર્સ માટે મોટો પડકાર બની શકે છે. જાણીતા સપ્લાય ચેઈન એનાલિસ્ટ મિંગ-ચી કુઓના મતે, શરૂઆતમાં આ ફોલ્ડેબલ iPhoneનો સ્ટોક અત્યંત મર્યાદિત રહેશે. આ કારણે, ગ્રાહકોમાં ઉત્સાહ હોવા છતાં, ડિલિવરીમાં લાંબો સમય લાગી શકે છે અને બ્લેક માર્કેટમાં તેની કિંમતો વધી શકે છે. વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં માત્ર 5 લાખથી 10 લાખ યુનિટ્સનું જ ઉત્પાદન થવાની ધારણા છે, જે પ્રીમિયમ iPhonesના ઉત્પાદન કરતાં ઘણું ઓછું છે.
એપલનો પહેલો ફોલ્ડેબલ iPhone ખરીદવો લોઢાના ચણા ચાવવા જેવું!
નિજ્જરની હત્યામાં ભારતનો હાથ?
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે કેનેડાની ટિપ્પણી: "અમેરિકામાં આંતરરાષ્ટ્રીય ગુનાઇત સંગઠનો સામે ચાલી રહેલી તપાસમાં ભારતીય અધિકારીઓની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી." અમેરિકાએ લોરેન્સ બિશ્નોઈ સહિત ડઝનબંધ આરોપીઓ વિરુદ્ધ ત્રણ ચાર્જશીટ જાહેર કરી છે. આ આરોપીઓ પર ખંડણી, હત્યા, અપહરણ અને ડ્રગ્સની હેરાફેરી જેવા ગંભીર આરોપો છે. કેનેડાના પૂર્વ PM જસ્ટિન ટ્રુડોના નિજ્જર કેસમાં ભારતીય એજન્ટોના હાથ હોવાના આરોપોને આ નવી તપાસમાં સમર્થન મળ્યું નથી.
નિજ્જરની હત્યામાં ભારતનો હાથ?
જામનગરમાં બેફામ કારચાલકે બુલેટને ટક્કર મારતાં દંપતી ઇજાગ્રસ્ત
જામનગર શહેરના સીટી "એ" ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિટ એન્ડ રન ની ઘટના બની છે. ધન અપૂર્વા સોસાયટી પાસે પૂરઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવી બુલેટ મોટરસાયકલને ટક્કર મારતાં દંપતી ઇજાગ્રસ્ત થયું, જેમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ ફરાર કારચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી રહી છે.
જામનગરમાં બેફામ કારચાલકે બુલેટને ટક્કર મારતાં દંપતી ઇજાગ્રસ્ત
પગાર વધારવાની ના પાડતા કર્મચારીએ શેઠની કાર તોડી
વડોદરામાં ઇન્સ્યોરન્સ એજન્ટ જતીન પટેલના કર્મચારી માલવ દિલીપકુમાર પટેલે પગાર વધારવાની માંગણી ના સંતોષાતા ઉશ્કેરાઈને કારમાં તોડફોડ કરી હતી. કંપનીમાં આઠ વર્ષથી નોકરી કરતા માલવ પટેલે રૂ. 1.25 લાખ પગાર હોવા છતાં વધુ પગારની માંગણી કરી હતી. ના પાડતા તેણે નોકરી છોડી દીધી અને બાદમાં શેઠની બે કારના કાચ અને લાઈટો બેટ વડે તોડી નાખ્યા. આ ઉપરાંત કારમાંથી રૂ. 2 લાખ રોકડાની ચોરી પણ કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પગાર વધારવાની ના પાડતા કર્મચારીએ શેઠની કાર તોડી
LIC ને બદલે હવે આવશે નવી 'CLIC' વીમા કંપની, અમિત શાહે ખેડૂતો માટે કરી જાહેરાત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી કો-ઓપરેટિવ જીવન વીમા કંપની 'CLIC' ની જાહેરાત કરી છે. આ કંપની ખાસ કરીને દેશના ખેડૂતો, છેવાડાના માનવી અને સહકારી સંસ્થાઓને ફાયદો પહોંચાડશે. હાલમાં કાર્યરત 8.5 લાખ સહકારી સંસ્થાઓના 300 મિલિયનથી વધુ સભ્યો માટે વીમા સેવાઓ સરળ બનશે. ખેડૂતોને પ્રાઈમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી (PACS) દ્વારા વીમા પોલિસી અને ક્લેમની સુવિધા નજીકના કેન્દ્રો પર મળશે. આ 'ભારત ટેક્સી' મોડલ પર આધારિત છે.
LIC ને બદલે હવે આવશે નવી 'CLIC' વીમા કંપની, અમિત શાહે ખેડૂતો માટે કરી જાહેરાત
8માં પગાર પંચમાં કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં 65% વધારાની શક્યતા
8માં પગાર પંચની રચના સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થામાં વધારાની શક્યતાઓ વધી રહી છે. કર્મચારી સંગઠનો દ્વારા ફુગાવા અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને પગાર વધારવાની માંગ કરવામાં આવી રહી છે. જો લેવલ-1 કર્મચારીઓની 4 મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં આવે, તો તેમના કુલ માસિક પગારમાં 65% સુધીનો નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. આ માંગણીઓમાં ફેમિલી યુનિટમાં વધારો, ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો, HRA અને TAમાં જંગી વધારો, તેમજ DAને બેઝિક સેલેરીમાં મર્જ કરવાનો સમાવેશ થાય છે.