રાજકોટ TRP અગ્નિકાંડ મામલે મનપાની ઐતિહાસિક કાર્યવાહી!
રાજકોટ TRP અગ્નિકાંડ મામલે મનપાની ઐતિહાસિક કાર્યવાહી!
Published on: 10th July, 2026

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના મામલે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા એક ઐતિહાસિક કાર્યવાહી કરવામાં આવી છે. અગ્નિકાંડ માટે જવાબદાર 6 ભ્રષ્ટ અધિકારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ડિસમિસ (બરતરફ) કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પૂર્વ ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયાના તમામ ભથ્થાં રદ કરીને માત્ર પ્રોવિઝનલ પેન્શન આપવાની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે જોવા મળતા માત્ર સસ્પેન્શનના બદલે સીધા ડિસમિસલની આ પ્રથમ અને સૌથી મોટી દાખલારૂપ કાર્યવાહી છે.