અમદાવાદનો જ્વેલર્સ કરોડોની ઠગાઈ કરીને ફરાર
અમદાવાદનો જ્વેલર્સ કરોડોની ઠગાઈ કરીને ફરાર
Published on: 14th September, 2026

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી 'કોમલ જ્વેલર્સ'ના માલિક ઉમેશ ચેલાણીએ ગ્રાહકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે. ઓછા ભાવે દાગીના અને લોનની લાલચ આપીને તેણે લોકો પાસેથી એડવાન્સ રકમ તથા સોના-ચાંદીના દાગીના લીધા હતા. ઘણાં લોકોએ પોતાના દાગીના ગીરવે મૂકીને લોન પણ મેળવી હતી. માહિતી અનુસાર, આ ઠગાઈની રકમ 5 થી 6 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. દુકાન બંધ અને ફોન સ્વીચ ઓફ થતાં ગ્રાહકોને શંકા ગઈ હતી, ત્યારબાદ મામલો પ્રકાશમાં આવ્યો. સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.