જામનગરના દરેડમાં પ્રેમ પ્રકરણમાં સગીર યુવાનની હત્યા
જામનગરના દરેડમાં પ્રેમ પ્રકરણમાં સગીર યુવાનની હત્યા
Published on: 13th September, 2026

જામનગર તાલુકાના દરેડ ગામમાં પ્રેમ પ્રકરણના મનદુઃખમાં 17 વર્ષીય સગીર યુવાનની ચાર શખસોએ ધોકા મારી નિર્મમ હત્યા નિપજાવી. સાગર રમેશભાઈ ખરા (ઉ.વ. 17) ગામમાં રહેતી એક સગીરવયની છોકરી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો, જે બાબતે આરોપીઓને ખાર હતો. શનિવારે તેને શેરીમાંથી પસાર થતો જોઈ ચાર શખસોએ તેને ઘેરી લીધો અને લાકડાના ધોકા તથા ઢીકાપાટુ વડે આડેધડ માર માર્યો, જેના કારણે તેનું મોત થયું. પોલીસે ચારેય સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જેમાં બે આરોપી ઝડપાયા છે.