કચ્છમાં TAT-S પરીક્ષા કેન્દ્ર નહીં
કચ્છમાં TAT-S પરીક્ષા કેન્દ્ર નહીં
Published on: 13th September, 2026

TAT-S મુખ્ય પરીક્ષા માટે કચ્છમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવાને બદલે ઉમેદવારોને અમદાવાદ જવું પડી રહ્યું છે. આ મુદ્દે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. NSUIના કચ્છ જિલ્લા પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, જો કચ્છના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્ર ફાળવી ન શકાય તો શિક્ષણમંત્રીએ નૈતિક જવાબદારી સમજી રાજીનામું આપી દેવું જોઈએ. લાંબી મુસાફરીના કારણે વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક તણાવમાં વધારો થઈ શકે છે, જે પરીક્ષા પર અસર કરશે.