મુખ્યમંત્રીના સૂચન બાદ નવસારીમાં 850 મીટરનો આશાપુરી માર્ગ RCC બનશે
મુખ્યમંત્રીના સૂચન બાદ નવસારીમાં 850 મીટરનો આશાપુરી માર્ગ RCC બનશે
Published on: 13th September, 2026

મુખ્યમંત્રીના શહેરી માર્ગો RCC કરવાના સૂચનના પગલે નવસારી મનપા દ્વારા પ્રથમ આશાપુરી માર્ગનું RCC કાર્ય રવિવારથી શરૂ થશે. રાજ્યમાં અનેક માર્ગો ટૂંકા ગાળામાં તૂટી જતા હોવાથી, વધુ ટકાઉ અને મજબૂત માર્ગો બનાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. મેયર અશોક ધોરાજીયાએ પણ વધુ RCC માર્ગો બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. વિજલપોર વિસ્તારમાં 850 મીટર લંબાઈનો, અંદાજે 3.25 કરોડ રૂપિયાના ખર્ચે 14 મીટર પહોળો આશાપુરી રોડ RCC બનશે. આગામી દિવસોમાં પ્રકાશ ટોકીઝ રીંગરોડ, ગ્રીડ માર્ગ, સર્કીટ હાઉસ થી તીઘરા અને શિવાજી ચોક થી વિઠ્ઠલ મંદિર માર્ગનું પણ આયોજન છે.