પાટણમાં ૧૪૯ વર્ષથી યથાવત શુદ્ધ માટીના શ્રી ગણેશ મૂર્તિ
પાટણમાં ૧૪૯ વર્ષથી યથાવત શુદ્ધ માટીના શ્રી ગણેશ મૂર્તિ
Published on: 13th September, 2026

1878માં પાટણમાં શ્રી ગજાનન મંડળી દ્વારા શરૂ થયેલો સાર્વજનિક ગણેશ મહોત્સવ આજે 149 વર્ષે પણ યથાવત છે. મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિળકના 1893ના ગણેશોત્સવ કરતાં પણ ૧૪ વર્ષ જૂની આ પરંપરામાં, દર વર્ષે શુદ્ધ માટીમાંથી જ શાસ્ત્રોક્ત માપદંડો મુજબ શ્રી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે. આ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ પર્યાવરણનું ધ્યાન રાખવાની સાથે સાથે ધાર્મિક સંસ્કારોનું પણ પ્રતીક છે. POP મૂર્તિઓના યુગમાં આ મંડળ પર્યાવરણ અને આધ્યાત્મિકતાનો ઉત્તમ સમન્વય રજૂ કરે છે.