તરણેતર મેળામાં ૨૪ કલાક સફાઈ
તરણેતર મેળામાં ૨૪ કલાક સફાઈ
Published on: 13th September, 2026

આગામી ૧૪ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાનાર વિશ્વવિખ્યાત તરણેતર લોકમેળામાં લાખો લોકો ઉમટી પડશે. આ વિશાળ જનમેદની વચ્ચે ઉત્કૃષ્ટ સ્વચ્છતા જાળવવા, તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ૨૪ કલાક અવિરત સફાઈ વ્યવસ્થાનું આયોજન કરાયું છે. કુલ ૧૮૦ તાલીમબદ્ધ સફાઈ કર્મચારીઓને ૮-૮ કલાકની ૩ શિફ્ટમાં ગોઠવવામાં આવ્યા છે, જેમાં દરેક શિફ્ટમાં ૬૦ કર્મી ફરજ બજાવશે. મેળાના મુખ્ય વિસ્તારોમાં કચરો ન જામે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે.