સોનાના દાગીનાની લાલચ આપી ₹5.20 લાખની છેતરપિંડી કરનાર 2 આરોપી ઝડપાયા
સોનાના દાગીનાની લાલચ આપી ₹5.20 લાખની છેતરપિંડી કરનાર 2 આરોપી ઝડપાયા
Published on: 13th September, 2026

પોરબંદરના એક વેપારીને સોનાના દાગીના બેંકમાંથી છોડાવી આપવાની લાલચ આપી ₹2.20 લાખ પડાવ્યા હતા. અન્ય એક વ્યક્તિ પાસેથી પણ ₹3.00 લાખ મેળવી કુલ ₹5.20 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આરોપીઓએ આ રકમ અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી. કીર્તિમંદિર પોલીસે બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે સેજાદ યુસુફ મીરા અને પ્રવીણ મનસુખ પરમારને ઝડપી લીધા છે. તેમની પાસેથી ₹1.88 લાખ રોકડા કબજે કરાયા છે. આરોપીઓ ગોલ્ડ લોનના બહાને ખાતામાં રૂપિયા જમા કરાવી દાગીના ન આપતા હતા.