કચ્છની રાષ્ટ્રીય લોક અદાલતમાં 10,491 કેસોનો સફળતાપૂર્વક નિકાલ
કચ્છની રાષ્ટ્રીય લોક અદાલતમાં 10,491 કેસોનો સફળતાપૂર્વક નિકાલ
Published on: 13th September, 2026

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિના માર્ગદર્શન હેઠળ શનિવારે કચ્છની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયું. આ અદાલતમાં કુલ 10,491 કેસોનો નિકાલ કરાયો, જેમાં રૂ. 26.65 કરોડના એવોર્ડ કરાયા. જિલ્લામાં 5,751 પ્રી-લિટીગેશન કેસો, 1,170 સમાધાનલાયક કેસો અને 3,570 સ્પેશિયલ મેજિસ્ટ્રીયલ સિટિંગ કેસોનો પણ નિકાલ થયો. મોટર અકસ્માત વળતર સંબંધિત કેસોમાં રૂ. 1.30 કરોડ અને રૂ. 58 લાખના નોંધપાત્ર સમાધાન થયા. ફેમિલી કોર્ટોમાં 219 માંથી 148 કેસોનો સમાધાનથી નિકાલ થયો.