ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનો ભ્રષ્ટાચારના આરોપો પર સ્પષ્ટતા
ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનો ભ્રષ્ટાચારના આરોપો પર સ્પષ્ટતા
Published on: 27th August, 2026

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો અંગે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જણાવ્યું કે તેમને બદનામ કરવા માટે ભ્રામક નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યું છે. 40 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે પ્રોજેક્ટ મંજૂર થયો હતો, પરંતુ કોઈ નાણાકીય ટ્રાન્ઝેક્શન થયું નથી. ગત વર્ષે 16.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી 1.90 કરોડનો જ ખર્ચ થયો હતો અને બાકીની રકમ યુનિવર્સિટીને સરેન્ડર કરી દેવામાં આવી હતી. પેઈડ રિસર્ચ યુનિવર્સિટીઓમાં થતી સામાન્ય પ્રક્રિયા છે.