અમદાવાદના કાલુપુરમાં વેપારીને આંધળો ભરોસો ભારે પડ્યો
અમદાવાદના કાલુપુરમાં વેપારીને આંધળો ભરોસો ભારે પડ્યો
Published on: 13th September, 2026

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન નજીક ટ્રાન્સપોર્ટની પેઢીમાંથી 45.29 લાખ રૂપિયાની રોકડ ચોરીને બે સગા ભાઈઓ ફરાર થઈ ગયા છે. વેપારીએ વિશ્વાસુ સ્ટાફના સભ્યો, યશવીર અને દલવીર, પર ભરોસો મૂકી ઓફિસની જવાબદારી સોંપી હતી. તેઓએ આ વિશ્વાસઘાત કરી ટેબલના Drawer માંથી 40.29 લાખ રોકડા અને ઉઘરાણીના 5 લાખ રૂપિયા મળી કુલ 45.29 લાખની ચોરી કરી. બંનેના ફોન બંધ હોવાથી વેપારીને શંકા ગઈ અને તપાસ કરતા ચોરીનો ખુલાસો થયો. કાલુપુર Police Station માં ગુનો નોંધાયો છે.