UKમાં રહેતા વારસદારો સાથે ઠગાઈ
UKમાં રહેતા વારસદારો સાથે ઠગાઈ
Published on: 23rd August, 2026

વડોદરાના નિઝામપુરામાં, યુકેમાં રહેતા વારસદારોના નામના બોગસ દસ્તાવેજો બનાવીને લગભગ ૩૬૮૦ ફૂટના પ્લોટનો ૧.૨૪ કરોડ રૂપિયામાં સોદો કરી દેવાયો હતો. આ અંગે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તપાસ દરમિયાન, મૃત્યુ પામેલા વારસદાર અભિલાષ ગુર્જરના નામ પર પણ બોગસ સહી-અંગૂઠા અને પાનકાર્ડ બનાવીને આ છેતરપિંડી આચરવામાં આવી હતી. આ બોગસ નેટવર્ક દ્વારા યુકેના રહેવાસીઓના નામે બેંક એકાઉન્ટ પણ ખોલાવવામાં આવ્યા હતા. પોલીસે આ ગંભીર મામલે વધુ તપાસ હાથ ધરી છે.