કેનેડાના ગુરુદ્વારામાં 'રિપબ્લિક ઓફ ખાલિસ્તાન'ના બોર્ડ લાગ્યા, ખાલિસ્તાની દૂતાવાસ શરૂ થતાં ભારત એલર્ટ.
કેનેડાના ગુરુદ્વારામાં 'રિપબ્લિક ઓફ ખાલિસ્તાન'ના બોર્ડ લાગ્યા, ખાલિસ્તાની દૂતાવાસ શરૂ થતાં ભારત એલર્ટ.
Published on: 05th August, 2025

કેનેડાના બ્રિટિશ કોલમ્બિયાના સરેમાં ગુરુદ્વારામાં ‘રિપબ્લિક ઓફ ખાલિસ્તાન’ના બોર્ડ મળ્યા. ગુરુદ્વારા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જર દ્વારા સંચાલિત હતું, જેમાં ખાલિસ્તાની દૂતાવાસ શરૂ થયું છે, ત્યારબાદ ભારત સરકાર એલર્ટ મોડમાં છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ સર્જાયો હતો. આ પગલું ખાલિસ્તાન રાષ્ટ્ર માટેના જનમત સંગ્રહની તૈયારી વચ્ચે લેવાયું છે.