ભરૂચમાં અખાત્રીજે એક જ દિવસમાં ₹20 કરોડના દાગીનાનું વેચાણ થયું
ભરૂચમાં અખાત્રીજે એક જ દિવસમાં ₹20 કરોડના દાગીનાનું વેચાણ થયું
Published on: 20th April, 2026

અખાત્રીજના શુભ મુહૂર્તે ભરૂચના સોના-ચાંદીના બજારમાં દિવાળી જેવો ઉત્સાહ જોવા મળ્યો હતો. સોનાના ઊંચા ભાવ હોવા છતાં, શુકનવંતી ખરીદીની માન્યતાને કારણે શહેરમાં એક જ દિવસમાં અંદાજે ₹20 કરોડના સોનાનું વેચાણ નોંધાયું છે. ભરૂચના વિવિધ વિસ્તારોમાં જ્વેલર્સના શો-રૂમ ગ્રાહકોથી ઊભરાયા હતા. લગ્નની સિઝનને ધ્યાનમાં રાખીને લોકોએ દાગીના, સિક્કા અને ગીનીની મોટાપાયે ખરીદી કરી હતી. ગત વર્ષની સરખામણીએ ભાવ વધારો હોવા છતાં વેચાણમાં થયેલો આ નોંધપાત્ર વધારો બજારમાં તેજીનો સંકેત આપે છે.