આજે કામિકા એકાદશી: ભગવાન વિષ્ણુની પૂજાથી યજ્ઞ જેવું પુણ્ય, કૃષ્ણ ભગવાનને ગાયનું દૂધ ચઢાવવાનો મહિમા.
આજે કામિકા એકાદશી: ભગવાન વિષ્ણુની પૂજાથી યજ્ઞ જેવું પુણ્ય, કૃષ્ણ ભગવાનને ગાયનું દૂધ ચઢાવવાનો મહિમા.
Published on: 21st July, 2025

આજે અષાઢ વદ એકાદશી, કામિકા એકાદશી (ગૌ દૂધ) તરીકે ઓળખાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાથી મનોકામના પૂર્ણ થાય છે. તુલસીના પાન ચઢાવવાથી પાપ દૂર થાય છે, તીર્થ સ્નાન અને દાનથી પુણ્ય મળે છે. શાસ્ત્રો મુજબ વ્રત કરનારને દુર્ગતિ થતી નથી. વિષ્ણુને પીળા પુષ્પો અર્પણ કરવા, ખીરનો ભોગ ધરાવવો. શ્રીમદ્દ ભાગવતનો પાઠ કરવો, વિષ્ણુસહસ્ત્રનો પાઠ, લક્ષ્મી મંત્રના જાપ કરવા. તુલસી ક્યારે ઘીનો દીવો પ્રગટાવવો "ઓમ્ નમો ભગવતે વાસુદેવાય નમઃ"મંત્રની માળા કરવી.