Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
શિક્ષક દિન (ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મજયંતી)
શિક્ષક દિન (ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મજયંતી)

ગુરુને દેવ જ નહિ, તેથીયે વિશેષ પિતા સમાન ગણવામાં આવે છે. દરેક વ્યક્તિના ઘડતરમાં ત્રણ વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. માતા, પિતા અને ગુરૂ. માનવીનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષકને આભારી છે. આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. માતાપિતા જન્મ આપે છે, પણ આપણા ખરા જનક ગુરુ કે શિક્ષક છે. શિક્ષક આપણામાં માણસ તરીકેના સંસ્કારનું સિંચન કરે છે. માટીના પીંડમાંથી જેમ કુશળ શિલ્પી સુંદર મૂર્તિ ઘડે છે, તેમ શિક્ષક સામાન્ય બાળકમાંથી મહાન નેતા, રાજા, સેનાપતિ, કવિ, સાક્ષર, કલાકાર, વૈજ્ઞાનિક, રમતવીર, વૈદ્ય, સમાજસેવક વગેરેનું નિર્માણ કરે છે. "કેળવણી વિનાના માણસ અને પશુમાં કશો ફેર નથી", એમ રાજા ભર્તૃહરિ એ કહ્યું છે. પોતાનો વિદ્યાર્થી સારું શીખે, સાચું શીખે અને સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. તેથી શિક્ષક ગૌરવ અનુભવે છે. આ માટે તે અથાક પરિશ્રમ કરે છે. "Good teachers think before they act, Think while they act, Think after they act." (સારા શિક્ષક એ જ છે કે જે કાર્ય કરતાં પહેલાં વિચારે છે, કાર્ય કરતી વખતે વિચારે છે અને કાર્ય કર્યા બાદ પણ તેનું જ ચિંતન કરે છે.) 5 સપ્ટેમ્બર, 1888 ના રોજ તમિલનાડુમાં આવેલ તિરૂત્તાની નામના ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ થયો હતો. તેલુગુ તેમની માતૃભાષા હતી. તિરૂત્તાની, તિરૂવેલુર અને તિરૂપતિમાં તેઓનું બાળપણ વિત્યું હતું. દક્ષિણ ભારતની એક પરંપરા મુજબ તેમના નામની આગળ લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં તો તેમના ગામનું નામ છે. તેમના પૂર્વજો વર્ષો પહેલાં આ ગામમાં રહેતા હતા. આપણે ગુરુ મહિમા માટે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવીએ છીએ. આ દિવસ ભારતના એક શિક્ષક સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મતિથિ છે. તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (1952-1962) અને દ્વિતીય રાષ્ટ્રપતિ (1962-1967) હતા. તેઓનો જન્મદિવસ 1962 થી ભારતભરમાં 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિ પર તેમને અપાર પ્રેમ હતો. પોતાનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય એવી ઉદ્દાત ભાવના દાખવીને તેમણે ભારતભરના શિક્ષક સમુદાયને સામાજિક મોભો અને પ્રતિષ્ઠા આપી છે. રાષ્ટ્રપતિ થયા એટલે દેશની પ્રજાએ 5 સપ્ટેમ્બરે આવતી તેમની વર્ષગાંઠ ઉજવવા વિચાર્યું. રાધાકૃષ્ણનને એ ગમ્યું નહિ. પરંતું, લોકોનો પ્રેમ જોઈ તેમણે હા પાડી. પણ એક શરત મૂકી, "જુઓ ભાઈઓ, હું શિક્ષક રહ્યો. મારી વર્ષગાંઠ એટલે શિક્ષકની વર્ષગાંઠ, તમે એને શિક્ષક દિન તરીકે ઊજવો તો?" અને આમ શિક્ષક દિનનો ઉદ્ભવ થયો. તેમના જ્ઞાન અને બૌદ્ધિક પ્રતિભા સામે ગમે તેવા મહાનુભાવ નતમસ્તક થઈ જતા હતા. વિદ્યાર્થીકાળમાં જ તેમની આ પ્રતિભાનાં દર્શન થવા લાગ્યાં હતાં. તે દરમિયાન ભારતીય તત્વજ્ઞાન અંગેના તેમના લેખથી તેમના અધ્યાપકો પણ અચંબો પામ્યા હતા. તેનાથી પ્રેરાઈને કોઈએ તેમને ઓકસફોર્ડમાં ડૉક્ટરેટ કરવા કહ્યું, તેમણે જવાબ આપ્યો, 'હા, હું ઓકસફોર્ડમાં જઈશ પણ ભણવા નહીં ભણાવવા માટે.' ઇંગ્લેન્ડના લોર્ડઝ મેદાનમાં એસ ટ્રોફી માટે રમાતી ક્રિકેટ મેચ સમયે સ્ટેડિયમ ભરચક રહે, પરંતુ એ દરમિયાન લંડનના જ એક હોલમાં રાધાકૃષ્ણનનું પ્રવચન ગોઠવવામાં આવ્યું હતું. તેથી સમગ્ર લંડનવાસીઓની ભીડ ત્યાં ઉભરાઈ અને પહેલીવાર ક્રિકેટના ખેલાડીઓએ જૂજ પ્રેક્ષકો સામે મેચ રમવી પડી. તેમણે ભારતમાં જ નહિ, વિલાયતમાં ઑકસફોર્ડ અને કેમ્બ્રિજ જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓમાં અધ્યાપન કાર્ય કર્યું. તેઓ એમ.એ.ની પરીક્ષા પાસ કરી કોલેજમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા. તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તત્વજ્ઞાન તેમજ ભારતીય દર્શનોનો ગહન અભ્યાસ કર્યો, એક સારા વ્યાખ્યાનકાર તરીકે પણ તેઓ પ્રખ્યાત થયા. ઈંગ્લેન્ડ, અમેરિકા જેવા દેશોમાં વ્યાખ્યાનો માટે તેમને નિમંત્રણો મળતાં. તેમના પ્રવચનો ઊંડા મંથનથી અને ઉમદા વિચારોથી સભર રહેતાં. તેમણે 'ઇન્ડિયન ફિલોસોફી', 'પ્રિન્સિપલ ઉપનિષદ્', 'ઇષ્ટ એન્ડ વેસ્ટ રીલીજીયન', 'હિંદુ વ્યૂ ઓફ લાઈફ' જેવા અસંખ્ય ગ્રંથો લખ્યા. તેમણે રશિયા ખાતે ભારતના એલચી તરીકે પણ ફરજ બજાવી હતી. તેમણે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પદે અને છેલ્લે રાષ્ટ્રપતિના સર્વોચ્ચપદે પોતાની મૂલ્યવાન સેવાઓ આપી હતી. 'ભારતરત્ન' નો સર્વોચ્ચ ખિતાબ અર્પણ કરીને ભારતે આ મહાન શિક્ષક પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું. ચાલીસ હજાર પાઉન્ડનું 'ટેમ્પલટન પારિતોષિક' મેળવનાર તેઓ વિશ્વના પ્રથમ બિનખ્રિસ્તી વિજેતા હતા. તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન અને તત્વચિંતક હોવાથી 'ભારતના પ્લેટો' કહેવાતા. આ ઉપરાંત જુદી જુદી પ્રાદેશિક અને વિદેશી 15થી વધુ ભાષાઓ લખી-વાંચી અને સમજી શકતા હતા. વિદેશમાં પણ તેમણે ધોતિયું, પાઘડી અને લાંબો કોટ પહેરીને પ્રભાવશાળી ભાષણો આપ્યાં. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું અવસાન 17 એપ્રિલ, 1975 ના રોજ 86 વર્ષની ઉંમરે મદ્રાસ, તામિલનાડુ ખાતે થયું હતું. રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્તિ વેળાએ તેમણે ઉચ્ચારેલા શબ્દો હતા. "Our Slogan should not be Power at any Price: but Service at any Cost." અર્થાત કોઈપણ ભોગે સેવા, નહિ કે કોઈપણ કિંમતે સત્તા. આ સંદેશ ભારતના વર્તમાન લોકોને ઘણું કહી જાય છે. આવા મહાન આચાર્યને 'આચાર્ય દેવો ભવ' કહીને નમ્ર અંજલી અર્પીએ. 1994 માં યુનેસ્કોએ વિશ્વભરના શિક્ષકોના સન્માનમાં 5 ઓક્ટોબરના રોજ શિક્ષક દિવસ (Teacher's Day) ઉજવવાની જાહેરાત કરી. પરંતુ કેટલાક દેશો એવા છે, જે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવે છે. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ચીન, જર્મની, બાંગ્લાદેશ, શ્રીલંકા, યુકે, પાકિસ્તાન, ઈરાન વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાયના 11 દેશો પણ 28 ફેબ્રુઆરીએ શિક્ષક દિવસ ઉજવે છે. "શિક્ષક તો મીણબત્તી જેવો હોય છે જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે”- સુફિન આપણા ગૌરવવંતા ઈતિહાસમાં એવા કેટલાક મહાન ગુરુ-શિષ્યો અમર થઈ ગયા છે. ઈતિહાસના પાને તેમનાં નામ સુવર્ણ અક્ષરે લખાયેલાં છે. આ મહાન ગુરુ-શિષ્યો છે - ગુરુ સાંદીપનિ અને ભગવાન શ્રીકૃષ્ણ, ગુરુ દ્રોણાચાર્ય અને અર્જુન, અતિ વિદ્વાન ગુરુ ચાણક્ય અને ચંદ્રગુપ્ત. આ ગુરુઓએ જ તેમના તેજસ્વી શિષ્યોને જીવનમાં આગળ વધવાનો રાહ ચિંધ્યો. વિદ્યાર્થી તરીકે આ દિવસે તમારે કોઈ સારો સંકલ્પ કરવો જોઈએ અને તમારા શિક્ષકના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સદગુણોમાંથી પ્રેરણા લેવી જોઈએ. આ દિવસની ઉજવણી એટલે શિક્ષકના ઉમદા કાર્યને યાદ કરવાનો પ્રસંગ આપણે તેમનું સન્માન કરી ઋણ ચૂકવવા પ્રયત્ન કરીએ છીએ. નોંધપાત્ર કાર્ય માટે શિક્ષકોને સરકાર દ્વારા પારિતાષિક અપાય છે. શિક્ષકનિધિમાં નાનામોટા ફાળા ઊઘરાવાય છે. એ રીતે જનસમાજના બધા વર્ગો શિક્ષકના મહત્વથી સભાન થાય છે. નિવૃત્ત શિક્ષકોને સહાય કરવામાં આવે છે. શાળાઓમાં વિદ્યાર્થીઓને એક દિવસીય શિક્ષક બનાવી શાળા સોંપવામાં આવે છે. જેથી બાળકો પણ શિક્ષકનું કાર્ય સમજે અને સમાજમાં ઉમદા વ્યક્તિત્વનું નિર્માણ થાય.

05th September

Read more
શિક્ષક દિન (ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મજયંતી)
05th September
ગુરુને દેવ જ નહિ, તેથીયે વિશેષ પિતા સમાન ગણવામાં આવે છે. દરેક વ્યક્તિના ઘડતરમાં ત્રણ વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. માતા, પિતા અને ગુરૂ. માનવીનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષકને આભારી છે. આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. માતાપિતા જન્મ આપે છે, પણ આપણા ખરા જનક ગુરુ કે શિક્ષક છે. શિક્ષક આપણામાં માણસ તરીકેના સંસ્કારનું સિંચન કરે છે. માટીના પીંડમાંથી જેમ કુશળ શિલ્પી સુંદર મૂર્તિ ઘડે છે, તેમ શિક્ષક સામાન્ય બાળકમાંથી મહાન નેતા, રાજા, સેનાપતિ, કવિ, સાક્ષર, કલાકાર, વૈજ્ઞાનિક, રમતવીર, વૈદ્ય, સમાજસેવક વગેરેનું નિર્માણ કરે છે.
Read more
વિશ્વ સાક્ષરતા દિન
વિશ્વ સાક્ષરતા દિન

પ્રતિ વર્ષ 8 સપ્ટેમ્બર ને 'વિશ્વ સાક્ષરતા દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીની જાહેરાત યુનેસ્કો દ્વારા 16 નવેમ્બર, 1965 ના દિવસે કરવામાં આવી હતી. તે અન્વયે આ દિવસની ઉજવણી 1966 થી કરવામાં આવે છે. સતત વિકસતા વિશ્વમાં સાક્ષરતાનું મહત્વ બહુ પહેલાંથી સ્વીકારવામાં આવ્યું છે. સાક્ષરતા વિના જીવનની ગુણવત્તા સંભવ નથી. માનવ વિકાસ સાથે તેના અધિકારો તેમજ સમાજ પ્રત્યેના તેના કર્તવ્યની અનુભૂતિ માટે સાક્ષર થવું નિતાન્ત આવશ્યક છે. સદર બાબત ધ્યાનમાં રાખી વિશ્વ કક્ષાએ તમામ દેશની સરકારો અને સામાન્ય જનસમૂહમાં જાગૃતિ લાવવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અહીં સાક્ષરતાનો અર્થ માત્ર લખતાં વાંચતાં શીખવું એટલો મર્યાદિત માનવાનો નથી. અહીં દરેક સાક્ષર વ્યક્તિ જીવસૃષ્ટિના અધિકારો પ્રત્યે જાગૃત રહે અને સમાજના વિકાસનો આધાર બને તે જરૂરી હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. ભારત જેવા રાષ્ટ્ર માટે સંપૂર્ણ સાક્ષરતા હજુ હાંસલ કરી શકાઈ નથી. સ્વતંત્રતા પછીનાં વર્ષોમાં વિકાસના ધીમા દરનું કારણ પણ સાક્ષરતાનો અભાવ હતો. ઉપરાંત તે પછી સાક્ષરતા દરનો વધારો પણ ધીમો રહ્યો હતો. લોકશાહી પદ્ધતિમાં જ્યાં લોકો સર્વોપરી હોય ત્યાં તેની સફળતા માટે સાક્ષરતા અનિવાર્ય બની જાય છે. આપણા શાસ્ત્રો તેમજ સાહિત્યકારો પણ વ્યક્તિને શિક્ષિત કરવા ઉપર ભાર મૂકે છે. એક સુભાષિત છે કે, "અંધ અને અજ્ઞ તેમાં ઓછો શાપિત આંધળો. એકાંગે પાંગળો અંધ અજ્ઞ સર્વાંગે પાંગળો." 'વિદ્યાદાન' શબ્દ પણ સાક્ષરતાના પ્રચાર પ્રસારને દિવ્યતા આપે છે. કોઈ વ્યક્તિને માત્ર લખતાં વાંચતાં શીખવવામાં આવે તો પણ તેના જીવનમાં અત્યંત સહાયતા પ્રાપ્ત થાય છે. હાલના સમયમાં વિવિધ ઉપકરણોથી માનવજીવન સમૃદ્ધ બન્યું છે. મોબાઈલ, કમ્પ્યૂટર, ઓનલાઇન ખરીદ-વેચાણ જેવાં ક્ષેત્રો વિસ્તરતાં જાય છે. તેનો સાર્થક ઉપયોગ કરવા માટે વીજાણું સાક્ષરતા (Digital Literacy) ની પણ આવશ્યકતા ઉભી થઈ છે. આ ક્ષેત્રોમાં પણ દરેક વ્યક્તિ સામર્થ્ય પ્રાપ્ત કરે તે જરૂરી છે. અલબત્ત આ વિષયમાં પણ સૌ પ્રથમ સાક્ષર થવું એ પાયાની શરત રહેલી છે. સાક્ષરતા દિનના દિવસે સમગ્ર ગામ, નગર, મહોલ્લાને સાક્ષર બનાવવાનો સંકલ્પ કરી તે દિશામાં કાર્યરત થવાય તે એની ઉત્તમ ફળશ્રુતિ બની રહેશે.

08th September

Read more
વિશ્વ સાક્ષરતા દિન
08th September
પ્રતિ વર્ષ 8 સપ્ટેમ્બર ને 'વિશ્વ સાક્ષરતા દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીની જાહેરાત યુનેસ્કો દ્વારા 16 નવેમ્બર, 1965 ના દિવસે કરવામાં આવી હતી. તે અન્વયે આ દિવસની ઉજવણી 1966 થી કરવામાં આવે છે.
સતત વિકસતા વિશ્વમાં સાક્ષરતાનું મહત્વ બહુ પહેલાંથી સ્વીકારવામાં આવ્યું છે. સાક્ષરતા વિના જીવનની ગુણવત્તા સંભવ નથી. માનવ વિકાસ સાથે તેના અધિકારો તેમજ સમાજ પ્રત્યેના તેના કર્તવ્યની અનુભૂતિ માટે સાક્ષર થવું નિતાન્ત આવશ્યક છે. સદર બાબત ધ્યાનમાં રાખી વિશ્વ કક્ષાએ તમામ દેશની સરકારો અને સામાન્ય જનસમૂહમાં જાગૃતિ લાવવા આ દિવસની ઉજવણી કરવામાં...
Read more
ભૂમિદાન દિન (વિનોબા ભાવે જન્મજયંતી)
ભૂમિદાન દિન (વિનોબા ભાવે જન્મજયંતી)

સંત વિનોબા ભાવે એટલે માનવતાવાદી વિચારક, વિનોબા ભાવે એટલે યુગ પ્રવર્તક. વિનોબા ભાવે નો જન્મ 11 સપ્ટેમ્બર, 1895 માં થયો હતો. એમનું મૂળ વતન ગંગોદ (મહારાષ્ટ્ર) હતું. તેમનું બાળપણનું નામ વિનાયક ભાવે હતું. 12 વર્ષના થયા ત્યાં સુધી તેઓ ગંગોદ અને વાઈમાં રહ્યા. આ જંગલ વિસ્તાર છત્રપતિ શિવાજી ની કર્મભૂમિ હતી. શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામી ના જીવનપ્રસંગોમાંથી તેમણે પ્રેરણા લઈ લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી અને આજીવન આ પ્રતિજ્ઞા પાળી. વિનોબા અને તેમના મિત્રો પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવીને વાંચતા. આમ સ્વાધ્યાય કરવાની આદત હોવાથી એમના પર સ્વદેશી ભાષા અને સંસ્કૃતિની ખૂબ અસર થઈ. વિનોબા ભાવે લગભગ પંદર જેટલી ભાષાઓ માતૃભાષાની જેમ જ બોલી શકતા. ગાંધીજીના ભાષણોની દેશના દરેક ખૂણે મોટી અસર થઈ. કાશીની સભામાં વિનોબા પણ હાજર હતા. એમના પર પણ ગાંધીજીના ભાષણની ખૂબ અસર થઈ. આ પ્રસંગ બાદ વિનોબાએ ગાંધીજીને અમદાવાદ ખાતે કોચરબ આશ્રમના સરનામે પત્ર લખ્યો ગાંધીજીએ એમને રૂબરૂ મળવા બોલાવતાં વિનોબા અમદાવાદ આવી ગાંધીજીને મળ્યા. નીતિ નિયમોનું પાલન એમણે શરૂ કર્યું. આમ વિનોબા એટલે સાક્ષાત્ ગાંધી વિચારસરણીનું પાલન કરનાર વ્રતધારી. વર્ધામાં સત્યાગ્રહ આશ્રમ ખોલવાની વાત નક્કી થઈ. ગાંધીજી ગુજરાત છોડવા માંગતા ન હતા. આખરે બે-ત્રણ સાથીઓ સાથે વિનોબાને વર્ધા આશ્રમમાં મોકલવામાં આવ્યા. વર્ધાનું કામ વિનોબાએ સંભાળી લીધું. નકુલના ઝંડા સત્યાગ્રહમાં વિનોબાજી જોડાયા અને જેલમાં પણ ગયા. જેલવાસ દરમિયાન તેમની મુલાકાત જુદા જુદા નેતાઓ સાથે થઈ. 1930 માં ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે વિનોબાજીએ આશ્રમમાં રહીને રેંટિયાનું રચનાત્મક કાર્ય સંભાળ્યું. 1939 માં સરકારે દેશને બીજા વિશ્વયુદ્ધ માં ધકેલ્યો એની સામે વિરોધ જાગ્યો. આ સંદર્ભમાં એમણે પવનારમાં ભાષણ કર્યું તેના માટે તેમને ત્રણ મહિનાની જેલની સજા થઈ. દક્ષિણમાં 'પાંચમ પલ્લી' નામનું એક ગામ આવેલું હતું. તેની વસતી 3000ની હતી. આમાંથી કેટલાક પાસે તો પોતાની જમીન પણ ન હતી. વિનોબા ત્યાં આવ્યા વિનોબાએ ગામના લોકોને ભેગા કરી વાત મૂકી અને ગામના એક વ્યક્તિએ 100 એકર જમીન લોકોને ભેટ આપી. એ રાતે વિનોબાએ સંકલ્પ કર્યો કે ગામડે ગામડે ફરીને 'ભૂમિદાન' માંગવું જોઈએ. એમણે એ વિચાર અમલમાં મૂક્યો અને વિનોબાજીનું જીવન 'ભૂદાન યજ્ઞ' સાથે જોડાઈ ગયું. ગામડે ગામડે યાત્રા ચાલી ભૂમિદાનની વાત શરૂ થઈ પછી તો એમણે શ્રમદાન, બુદ્ધિદાન, જીવનદાન અને ગ્રામદાનની વાત પણ શરૂ કરી. જેની પાસે જે કંઈ હોય તે લોકસેવાના કામમાં લગાવી સમર્પિત કરવું એ જ જીવનદાન છે એવું તેમણે લોકોને સમજાવ્યું. તેઓ સાચા કર્મયોગી હતા. એમનાં કાર્યોની સુવાસ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગઈ. 25 સપ્ટેમ્બર, 1976 ના રોજ વિનોબાએ જાહેર કર્યું કે હવેથી તેઓ કોઈ સંસ્થા સાથે જોડાયેલા રહેશે નહીં. 1980 માં પવનાર આશ્રમમાં વિશ્વ મહિલા પરિષદ યોજાઈ. એ વખતે એમણે નારી સ્વતંત્રતા વિશે પ્રવચનો આપ્યાં. જે પ્રવચનો 'સ્ત્રી શક્તિ' નામના પુસ્તકમાં સંગ્રહિત થયાં છે. ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવા અને કાયદો ઘડવા એમણે સરકાર સમક્ષ માંગણી કરી હતી. આ પરથી તેમની ગૌરક્ષક તરીકેની પ્રતિભાનાં દર્શન થાય છે. 1982 ની સાલમાં વિનોબાજીને 87 વર્ષ પૂરાં થયાં. આખરે 15 નવેમ્બર, 1982 ના દિવસે સવારે એમણે દેહ છોડયો. 1958 માં વિનોબાજીને મેગ્સેસે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. એમની અહિંસા અને ખાદીની વાતોથી અનેક વિદેશી બુદ્ધિજીવી આકર્ષાયા હતા. એમના મૃત્યુ બાદ 1983 માં ભારત સરકારે 'ભારતરત્ન' એનાયત કરી એમનું બહુમાન કર્યું.

11th September

Read more
ભૂમિદાન દિન (વિનોબા ભાવે જન્મજયંતી)
11th September
સંત વિનોબા ભાવે એટલે માનવતાવાદી વિચારક, વિનોબા ભાવે એટલે યુગ પ્રવર્તક.
વિનોબા ભાવે નો જન્મ 11 સપ્ટેમ્બર, 1895 માં થયો હતો. એમનું મૂળ વતન ગંગોદ (મહારાષ્ટ્ર) હતું. તેમનું બાળપણનું નામ વિનાયક ભાવે હતું. 12 વર્ષના થયા ત્યાં સુધી તેઓ ગંગોદ અને વાઈમાં રહ્યા. આ જંગલ વિસ્તાર છત્રપતિ શિવાજી ની કર્મભૂમિ હતી. શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામી ના જીવનપ્રસંગોમાંથી તેમણે પ્રેરણા લઈ લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી અને આજીવન આ પ્રતિજ્ઞા પાળી.
વિનોબા અને તેમના મિત્રો પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવીને વાંચતા. આમ સ્વાધ્યાય...
Read more
રાષ્ટ્રીય હિન્દી દિવસ
રાષ્ટ્રીય હિન્દી દિવસ

"હિન્દી જનતાની ભાષા છે, હિન્દી ભારતની આશા છે." આપણા દેશના મોટાભાગના ભાગોમાં બોલાતી પહેલી ભાષા હિન્દી છે. અંગ્રેજી અને ચાઇનીઝ પછી, હિન્દી દુનિયામાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. વૈશ્વિકરણના આ યુગમાં, હિન્દીએ પોતાના મૂળિયા સરહદો પાર ફેલાવ્યા છે. આજકાલ, વિશ્વના વિકસિત દેશોમાં હિન્દી શીખવવામાં આવે છે. હિન્દીએ આપણને સમગ્ર વિશ્વમાં એક નવી ઓળખ આપી છે. હિન્દી આપણા આત્મસન્માન અને ગૌરવની ભાષા છે. હિન્દી ભારતીય સંસ્કૃતિનો આત્મા છે અને રાષ્ટ્રની અભિવ્યક્તિનો સૌથી સરળ સ્ત્રોત છે. ૧૯૧૮ માં, ગાંધીજીએ હિન્દી સાહિત્ય સંમેલનમાં હિન્દીને ભારતના જનતાની ભાષા ગણાવીને તેને રાષ્ટ્રભાષા બનાવવાની વાત કરી હતી. તે સમયે પણ, સ્વતંત્ર ભારતમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે ઘણા મતભેદો અને વાંધાઓ હતા. રાજેન્દ્ર સિંહે કાકા કાલેલકર, હજારીપ્રસાદ દ્વિવેદી, શેઠ ગોવિંદ દાસ, મૈથિલીશરણ ગુપ્તા વગેરે જેવા સાહિત્યકારોને સાથે લઈને અથાક પ્રયાસો કર્યા. ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ ના રોજ, બંધારણ સભાએ નિર્ણય લીધો કે સંઘની સત્તાવાર ભાષા હિન્દી હશે અને લિપિ દેવનાગરી હશે. હિન્દીના પ્રચાર સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી હતી અને તેના વિકાસ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ૧૪ સપ્ટેમ્બરે પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર વ્યવહાર રાજેન્દ્ર સિંહનો ૫૦મો જન્મદિવસ પણ હતો. પછીથી, પ્રચાર કાર્યને ઝડપી બનાવવા માટે, રાષ્ટ્રીય ભાષા પ્રસાર સમિતિ, વર્ધા ની વિનંતી પર, 1953 થી સમગ્ર ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બર ને રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. તેથી ૧૪ સપ્ટેમ્બર થી શરૂ થતા એક અઠવાડિયા માટે સમગ્ર દેશમાં હિન્દી સપ્તાહ ઉજવવામાં આવે છે. આખા અઠવાડિયા દરમિયાન, લોકોમાં હિન્દી પ્રત્યે આદર દર્શાવવા અને તેમને તેમની ફરજો પ્રત્યે જાગૃત કરવા માટે વિવિધ સ્થળોએ ઘણા કાર્યક્રમો યોજવામાં આવે છે. તમામ સરકારી કચેરીઓને પણ હિન્દીનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે. દેશના તમામ નાગરિકોને હિન્દી પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે, હિન્દી દિવસ પર, જેઓ હિન્દીનો સારી રીતે ઉપયોગ કરે છે તેમને રાષ્ટ્રીય ભાષા ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે અને હિન્દી માટે કરવામાં આવેલા શ્રેષ્ઠ કાર્ય માટે, સમિતિઓ, વિભાગો, બોર્ડ વગેરેને રાષ્ટ્રીય ભાષા કીર્તિ પુરસ્કાર આપવામાં આવે છે. ટેકનોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે, આ ક્ષેત્રોમાં પણ માનનીય રકમના ઇનામો આપવામાં આવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દીનો પ્રભાવ વધતો ગયો. વિશ્વ હિન્દી પરિષદો શરૂ થયા. પ્રથમ વિશ્વ પરિષદ 10 જાન્યુઆરી 1975 ના રોજ નાગપુર માં યોજાઈ હતી. તેની યાદમાં, 2006 થી દર વર્ષે 10 જાન્યુઆરી એ વિશ્વ હિન્દી દિવસની શરૂઆત કરવામાં આવે છે.

14th September

Read more
રાષ્ટ્રીય હિન્દી દિવસ
14th September
"હિન્દી જનતાની ભાષા છે, હિન્દી ભારતની આશા છે."
આપણા દેશના મોટાભાગના ભાગોમાં બોલાતી પહેલી ભાષા હિન્દી છે. અંગ્રેજી અને ચાઇનીઝ પછી, હિન્દી દુનિયામાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. વૈશ્વિકરણના આ યુગમાં, હિન્દીએ પોતાના મૂળિયા સરહદો પાર ફેલાવ્યા છે. આજકાલ, વિશ્વના વિકસિત દેશોમાં હિન્દી શીખવવામાં આવે છે. હિન્દીએ આપણને સમગ્ર વિશ્વમાં એક નવી ઓળખ આપી છે. હિન્દી આપણા આત્મસન્માન અને ગૌરવની ભાષા છે. હિન્દી ભારતીય સંસ્કૃતિનો આત્મા છે અને રાષ્ટ્રની અભિવ્યક્તિનો સૌથી સરળ સ્ત્રોત છે.
૧૯૧૮ માં, ગાંધીજીએ હિન્દી...
Read more
વિશ્વ ઓઝોન દિન
વિશ્વ ઓઝોન દિન

16 સપ્ટેમ્બર, 1987 ના રોજ વિશ્વના 28 જેટલા દેશોએ ઓઝોન સ્તરની જાળવણી માટેના 'મોન્ટ્રીયલ પ્રોટોકોલ' પર હસ્તાક્ષર કરીને પોતાની સહમતી દર્શાવી હતી. જેના કારણે પર્યાવરણીય ઈતિહાસમાં નવો વળાંક આવ્યો. એ દિવસની યાદગીરી સ્વરૂપે 1994 માં સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય મહાસભામાં 16 સપ્ટેમ્બર ને 'વિશ્વ ઓઝોન દિન' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આમ, ઓઝોન સ્તરની જાળવણીના મહત્વને સમજતા વિશ્વના વિવિધ દેશોએ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડનારાં ઘટકોનો ઉપયોગ બંધ કરવો અને તેના સ્થાને નુકસાનકારક ન હોય તેવા પદાર્થોનો ઉપયોગ વધારવો તેવું નક્કી કર્યું. આપણી પૃથ્વીની ફરતે આવેલા વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. ઓઝોન એ અન્ય વાયુઓની જેમ પૃથ્વીની ફરતે આવેલો કુદરતી વાયુ છે, જે ઓક્સિજનના 3 પરમાણુ જોડાઈને બને છે. જેવી રીતે અસહ્ય તાપ અને વરસાદથી બચવા આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ તેવી રીતે સૂર્યનાં પારજાંબલી કિરણોથી પૃથ્વીની સમગ્ર જીવસૃષ્ટિને બચાવવા માટે ઓઝોન વાયુનું સ્તર છત્રી જેવું કાર્ય કરે છે. તે સૂર્યમાંથી નીકળતાં 90% પારજાંબલી કિરણોનું શોષણ કરી વનસ્પતિઓ, પ્રાણીઓ તથા સમગ્ર જીવસૃષ્ટિનું રક્ષણ કરે છે. વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે વિવિધ માનવીય પ્રવૃત્તિઓ જેવી કે વાહનો અને ઉદ્યોગોનો ધુમાડો, રેફ્રિજરેટર અને ACના બેફામ ઉપયોગના કારણે પૃથ્વી પર પ્રદૂષણ વધી રહ્યું છે. દક્ષિણ ધ્રુવ તેમજ ઉત્તર ધ્રુવના વિસ્તારમાં ઓઝોન સ્તરરૂપી રક્ષાકવચ તૂટી રહ્યું છે. પ્રદૂષણને લીધે નીકળતા હાનિકારક ગ્રીનહાઉસ વાયુઓ - જેવા કે કાર્બનડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોજન ઓક્સાઈડ ઉપરાંત રેફ્રિજરેટર તથા ACમાંથી ઉત્પન્ન થતા ક્લોરોફ્લોરો કાર્બન (CFC) જેવાં રસાયણો ઓઝોન સ્તર માટે નુકસાનકારક છે. જેના કારણે ઓઝોન સ્તર તૂટી રહ્યું છે, તેમાં ગાબડાં પડી રહ્યાં છે. પરિણામે સૂર્યનાં પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણમાં પહોંચે છે. આ કિરણોના કારણે મનુષ્યને ચામડીનું કેન્સર, મોતિયો જેવા રોગો થાય છે, વનસ્પતિને નુકસાન થાય છે તથા દરિયાઈ જીવસૃષ્ટિ પણ જોખમમાં મૂકાય છે. કહેવાય છે કે પ્રકૃતિની વ્યવસ્થામાં મનુષ્યોએ ક્યારેય દખલગીરી ન કરવી જોઈએ. પ્રકૃતિએ મનુષ્યની તથા અન્ય જીવોની સુરક્ષા માટે જ પૃથ્વીની આસપાસ આ ઓઝોન વાયુનું સ્તર મૂક્યું છે. પરંતુ મનુષ્યની પ્રવૃત્તિઓના કારણે આ રક્ષાસ્તર તૂટી રહ્યું છે. આજના દિવસે આપણે એ સમજવું રહ્યું કે આપણે પ્રકૃતિમાંથી મળેલી આ અમૂલ્ય ભેટનું રક્ષણ કરવું જ રહ્યું. આપણે જેટલું પૃથ્વીના આ રક્ષા સ્તરને સાચવીશું તેટલું જ આપણી ભાવિ પેઢીને ફાયદાકારક રહેશે.

16th September

Read more
વિશ્વ ઓઝોન દિન
16th September
16 સપ્ટેમ્બર, 1987 ના રોજ વિશ્વના 28 જેટલા દેશોએ ઓઝોન સ્તરની જાળવણી માટેના 'મોન્ટ્રીયલ પ્રોટોકોલ' પર હસ્તાક્ષર કરીને પોતાની સહમતી દર્શાવી હતી. જેના કારણે પર્યાવરણીય ઈતિહાસમાં નવો વળાંક આવ્યો. એ દિવસની યાદગીરી સ્વરૂપે 1994 માં સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય મહાસભામાં 16 સપ્ટેમ્બર ને 'વિશ્વ ઓઝોન દિન' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આમ, ઓઝોન સ્તરની જાળવણીના મહત્વને સમજતા વિશ્વના વિવિધ દેશોએ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડનારાં ઘટકોનો ઉપયોગ બંધ કરવો અને તેના સ્થાને નુકસાનકારક ન હોય તેવા પદાર્થોનો ઉપયોગ વધારવો તેવું નક્કી કર્યું.
આપણી પૃથ્વીની...
Read more
આંતરરાષ્ટ્રીય શાંતિ દિન
આંતરરાષ્ટ્રીય શાંતિ દિન

સમગ્ર વિશ્વમાં શાંતિ અને સદ્દભાવનાનો સંદેશો ફેલાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે દર વર્ષે 21 સપ્ટેમ્બર ના રોજ 'આંતરરાષ્ટ્રીય શાંતિ દિન' ઉજવવામાં આવે છે. આજે વિશ્વમાં અનેક દેશો વચ્ચે યુદ્ધ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળે છે. યુદ્ધના કારણે અનેક દેશોએ જાનમાલની તેમજ અનેક રીતે ખુવારી ભોગવવી પડે છે. તેનાથી સમગ્ર વિશ્વની વસતીને વિવિધ યાતનાઓમાંથી પસાર થવું પડે છે. વિશ્વને યુદ્ધથી થતી દુર્દશામાંથી બચાવવા માટે તેમજ સમગ્ર વિશ્વ શાંતિ માટે પ્રતિબદ્ધ થાય અને શાંતિની સંસ્કૃતિનું નિર્માણ થાય તે હેતુથી સમગ્ર વિશ્વમાં 21 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને 'વૈશ્વિક યુદ્ધ વિરામ દિન' તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વી પરના દરેક મનુષ્યોએ અને દેશોએ એકબીજાની સંસ્કૃતિ, ભાષા, ધર્મ વગેરેનો આદર કરીને બધાને અપનાવીને શાંતિનું સામ્રાજ્ય સ્થપાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. આજે વિશ્વના દરેક વ્યક્તિએ 'વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવના કેળવવી જોઈએ. વિશ્વમાં આ માટે અનેક પ્રયત્નો થયા છે. સૌ પ્રથમ વર્ષ 1981 માં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ દિન તરીકે ઉજવવાનું જાહેર કરાયું અને વર્ષ 1982 થી દર સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારે આંતરરાષ્ટ્રીય શાંતિ દિન તરીકે ઉજવવામાં આવતો હતો. વર્ષ 2002 માં પસાર થયેલા આંતરરાષ્ટ્રીય કાયદા બાદ દર 21 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિનની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ દિને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય, ન્યૂયોર્કમાં આવેલ 'યુએન પીસ બેલ' વગાડવામાં આવે છે. આ બેલની ઉપર લખ્યું છે કે "વિશ્વમાં શાંતિ અમર રહો." આ બેલ દુનિયાના જુદાં જુદાં બાળકો દ્વારા દાનમાં આપવામાં આવેલા સિક્કાઓમાંથી બનાવવામાં આવ્યો છે. આ બેલ જાપાનના યુનાઇટેડ નેશનલ એસોસિએશ ને ભેટમાં આપ્યો છે. આ દિવસે સફેદ કબૂતર ઉડાડીને વિશ્વમાં શાંતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં અનેક દેશોની સરકાર તેમજ જુદી જુદી સંસ્થાઓ દ્વારા લોકો શાંતિનું મહત્વ સમજે તેમજ વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે વિવિધ કાર્યક્રમો દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે. ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા પંચશીલના સિદ્ધાંતો દ્વારા વિશ્વ શાંતિની હિમાયત કરવામાં આવી હતી. નોબલ પારિતોષિક સમિતિ દ્વારા સાહિત્ય, વૈદક, ભૌતિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાનની સાથે સાથે શાંતિ એમ કુલ છ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિ વિશેષને દર વર્ષે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આમ વિશ્વમાં શાંતિ માટે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિ વિશેષને શાંતિ માટેનો નોબલ પુરસ્કાર આપવામાં આવે છે. 2014 માં ભારતના કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનની મલાલા યુસુફઝઈ ને નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મલાલા સૌથી યુવાવયે આ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ બની છે. 2015 દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નવા વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ (SDGs)ની જાહેરાત કરવામાં આવી. તેમાં પણ વિશ્વ શાંતિ અને સલામતીની વાત કરવામાં આવી છે. શાંતિ વિના ટકાઉ વિકાસ સાકાર થઈ શકતો નથી. આ બાબત ધ્યાનમાં રાખીને વિવિધ એજન્ડા તૈયાર કરવામાં આવ્યા છે. આમ વિશ્વસ્તરે શાંતિ માટે અનેક પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે આપણે પણ વિશ્વ શાંતિ માટેના યજ્ઞના ઋત્વિજ બનીએ.

21st September

Read more
આંતરરાષ્ટ્રીય શાંતિ દિન
21st September
સમગ્ર વિશ્વમાં શાંતિ અને સદ્દભાવનાનો સંદેશો ફેલાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે દર વર્ષે 21 સપ્ટેમ્બર ના રોજ 'આંતરરાષ્ટ્રીય શાંતિ દિન' ઉજવવામાં આવે છે. આજે વિશ્વમાં અનેક દેશો વચ્ચે યુદ્ધ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળે છે. યુદ્ધના કારણે અનેક દેશોએ જાનમાલની તેમજ અનેક રીતે ખુવારી ભોગવવી પડે છે. તેનાથી સમગ્ર વિશ્વની વસતીને વિવિધ યાતનાઓમાંથી પસાર થવું પડે છે. વિશ્વને યુદ્ધથી થતી દુર્દશામાંથી બચાવવા માટે તેમજ સમગ્ર વિશ્વ શાંતિ માટે પ્રતિબદ્ધ થાય અને શાંતિની સંસ્કૃતિનું નિર્માણ થાય તે હેતુથી સમગ્ર વિશ્વમાં 21 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિનની ઉજવણી કરવામાં આવે...
Read more
રાષ્ટ્રીય સેવા યોજના દિન (N.S.S. Day)
રાષ્ટ્રીય સેવા યોજના દિન (N.S.S. Day)

રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.)નું સંચાલન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો હેતુ દેશના યુવાનોના વ્યક્તિત્વ વિકાસનો છે. 'રાષ્ટ્રીય સેવા યોજના દિન' દર વર્ષે 24 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય સેવા યોજનાની સ્થાપના 24 સપ્ટેમ્બર, 1969 ના રોજ કરવામાં આવી હતી. આ સંગઠનની સ્થાપનાની વાત આઝાદી પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ના સમયથી ચાલી રહી હતી, જેને 1969 માં મહાત્મા ગાંધીજીની જન્મશતાબ્દીના વર્ષમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તે વર્ષે તત્કાલીન કેન્દ્રીયમંત્રી ડૉક્ટર વી. કે. આર. વી. રાવ દ્વારા 37 યુનિવર્સિટીમાં યોજના દાખલ કરવામાં આવી હતી.   આ દિવસે આયોજિત પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સમાજના લોકો સાથે મળીને સમાજના હિત માટે કાર્ય કરે છે. જેમ કે સાક્ષરતા સંબંધિત કાર્ય, પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, કટોકટી અથવા કુદરતી આફતના પીડિતોને મદદ કરવી વગેરે. NSS હેઠળ શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા સતત વધી રહી છે. NSS સ્વયંસેવક માટે દર વર્ષે ઓછામાં ઓછા 120 કલાક એટલે કે બે વર્ષમાં 240 કલાક સેવા આપવી ફરજિયાત છે. આ કાર્ય NSS એકમો દ્વારા દત્તક લીધેલાં એકમો (ગામો) અથવા શાળા/કોલેજ કેમ્પસમાં કરવામાં આવે છે. તે સામાન્ય રીતે અભ્યાસના કલાકો પછી અથવા રજાઓ દરમિયાન કરવામાં આવે છે. વધુમાં, દરેક એકમ તેની સાથે સંકળાયેલા સ્થાનિક સમુદાયો માટે કેટલાક ખાસ પ્રોજેક્ટ કરે છે. રજાના દિવસે દત્તક લીધેલાં ગામો અથવા શહેરી ઝૂંપડપટ્ટીઓમાં 7 દિવસની ખાસ શિબિરોનું આયોજન પણ કરે છે. દરેક સ્વયંસેવકે 2 વર્ષના સમયગાળા દરમિયાન એક વખત વિશેષ શિબિરમાં હાજરી આપવી જરૂરી છે. આમ, એક યુનિટમાંથી લગભગ 50% NSS સ્વયંસેવકો શિબિરમાં ખાસ હાજરી આપે છે. NSSની પ્રવૃત્તિનાં મુખ્ય ક્ષેત્રોમાં શિક્ષણ અને સાક્ષરતા, આરોગ્ય, કુટુંબ કલ્યાણ અને પોષણ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સેવા કાર્યક્રમો, મહિલાઓની સ્થિતિમાં સુધારો, ઉત્પાદનલક્ષી કાર્યક્રમો, આપત્તિ રાહત અને પુનર્વસન કાર્યક્રમો, સામાજિક દૂષણો સામે ઝુંબેશ, ડિજિટલ ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, યોગ વગેરે જેવા ફ્લેગશિપ પ્રોગ્રામ્સ વિશે જાગૃતિ ઊભી કરવી વગેરેનો સમાવેશ થાય છે.

24th September

Read more
રાષ્ટ્રીય સેવા યોજના દિન (N.S.S. Day)
24th September
રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.)નું સંચાલન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો હેતુ દેશના યુવાનોના વ્યક્તિત્વ વિકાસનો છે. 'રાષ્ટ્રીય સેવા યોજના દિન' દર વર્ષે 24 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય સેવા યોજનાની સ્થાપના 24 સપ્ટેમ્બર, 1969 ના રોજ કરવામાં આવી હતી. આ સંગઠનની સ્થાપનાની વાત આઝાદી પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ના સમયથી ચાલી રહી હતી, જેને 1969 માં મહાત્મા ગાંધીજીની જન્મશતાબ્દીના વર્ષમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તે વર્ષે તત્કાલીન કેન્દ્રીયમંત્રી ડૉક્ટર વી. કે. આર. વી. રાવ દ્વારા
Read more
વીર ભગતસિંહ જન્મજયંતી
વીર ભગતસિંહ જન્મજયંતી

'ઇન્કલાબ ઝીંદાબાદ'નો નારો સાંભળતાં જ ભગતસિંહ નો ચહેરો આપણી આંખો સામે તરવરવા લાગે છે. ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907 ના રોજ પંજાબના બંગા ગામમાં (હાલનું પાકિસ્તાન) થયો હતો. ભગતસિંહ બંગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી લાહોરની હાઈસ્કૂલમાં ભણ્યા અને ત્યારબાદ કોલેજમાં જોડાયા. ત્યાંના રાષ્ટ્રવાદી શિક્ષકોનો પ્રભાવ તેમના જીવન પર પડયો. યુવાનોમાં ક્રાંતિની ભાવના જાગૃત કરવા તેમણે લાહોરમાં નવજવાન ભારત સભાની સ્થાપના કરી. યુવાનો સાથે કામ કરતાં તેમને સુખદેવ, યશપાલ, ભગવતીશરણ, ચંદ્રશેખર આઝાદ, જતીન્દ્રનાથ દાસ જેવા ક્રાંતિકારીઓનો પરિચય થયો. 30 ઓક્ટોબર, 1928 ના રોજ સાયમન કમિશન ના વિરોધમાં લાહોરમાં લાલા લજપતરાય ના નેતૃત્વ હેઠળ નીકળેલા સરઘસ પર પોલીસે સખત લાઠીચાર્જ કર્યો. તેમાં લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા દિવસ પછી તેઓ વીરગતિ પામ્યા. ભગતસિંહ અને તેમના સાથીઓએ લાલા લજપતરાયના મૃત્યુ માટે જવાબદાર એવા પોલીસ અધિકારી મિ.સ્કોર્ટ નું ખૂન કરવાનું નક્કી કર્યું, પરંતુ પોલીસ ચોકીમાંથી જતા પોલીસ અધિકારી સોન્ડર્સને મિ.સ્કોર્ટ સમજી ભગતસિંહે ગોળીબાર કર્યો. તેથી સોન્ડર્સ મરણ પામ્યો. આ ઘટના બાદ ભગતસિંહ ગુપ્ત વેશે લાહોરથી નિકળી ગયા. 8 એપ્રિલ, 1929 ના રોજ ભગતસિંહે અને તેમના સાથી બટુકેશ્વર દત્તે નવી દિલ્હીમાં કેન્દ્રીય ધારાસભા ચાલુ હતી ત્યારે વિઝીટર્સ ગેલેરી માંથી બે બોમ્બ ફેંક્યા અને ત્યાં જ ઉભા રહી ગયા. બોમ્બ નાંખવા માટે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તની ધરપકડ કરવામાં આવી. 12 જૂને એસેમ્બલી બોમ્બકાંડમાં બંનેને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી. સોન્ડર્સ ખૂન કેસમાં ભગતસિંહ ઉપરાંત સુખદેવ અને રાજગુરુ પણ સંકળાયેલા હતા એવું પોલીસને જાણવા મળ્યું. આથી તેમની ધરપકડ કરી કેસ ચલાવવામાં આવ્યો અને તેમને ફાંસીની સજા કરવામાં આવી. લાહોરની સેન્ટ્રલ જેલમાં "ઇન્કલાબ ઝીંદાબાદ"ના નારા લગાવ્યા અને ત્રણેયે એક પંક્તિ બુલંદ અવાજમાં ગાઈ: "દિલ સે નિકલેગી મર કર ભી વતન કી ઉલ્ફત. મેરી મિટ્ટી સે ભી ખૂશ્બુ એ વતન આયેગી." 23 માર્ચ, 1931 ની સાંજે ક્રાંતિવીરોને ફાંસી આપવામાં આવી અને આ ત્રણેય ક્રાંતિકારીઓના પાર્થિવ શરીરને સતલજ નદી કાંઠે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા. રાષ્ટ્રના ચરણે ભારતના આ દિવ્ય પારિજાત પુષ્પો સદાકાળ માટે મઘમઘતાં રહેશે.

28th September

Read more
વીર ભગતસિંહ જન્મજયંતી
28th September
'ઇન્કલાબ ઝીંદાબાદ'નો નારો સાંભળતાં જ ભગતસિંહ નો ચહેરો આપણી આંખો સામે તરવરવા લાગે છે. ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907 ના રોજ પંજાબના બંગા ગામમાં (હાલનું પાકિસ્તાન) થયો હતો. ભગતસિંહ બંગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી લાહોરની હાઈસ્કૂલમાં ભણ્યા અને ત્યારબાદ કોલેજમાં જોડાયા. ત્યાંના રાષ્ટ્રવાદી શિક્ષકોનો પ્રભાવ તેમના જીવન પર પડયો. યુવાનોમાં ક્રાંતિની ભાવના જાગૃત કરવા તેમણે લાહોરમાં નવજવાન ભારત સભાની સ્થાપના કરી. યુવાનો સાથે કામ કરતાં તેમને સુખદેવ, યશપાલ, ભગવતીશરણ, ચંદ્રશેખર આઝાદ, જતીન્દ્રનાથ દાસ જેવા ક્રાંતિકારીઓનો પરિચય થયો.
30 ઓક્ટોબર, 1928...
Read more
વિશ્વ હૃદય દિન
વિશ્વ હૃદય દિન

દર વર્ષે 29 સપ્ટેમ્બર ના રોજ 'વિશ્વ હૃદય દિન' મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં હૃદયરોગ અને તેના પ્રભાવ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. દુનિયામાં એવા કરોડો લોકો છે જે હૃદયરોગની સામે ઝઝૂમી રહ્યા છે. હૃદયએ માનવ શરીરનું મહત્વનું અંગ છે. જો હૃદય કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું મૃત્યુ થાય છે. આજના સમયમાં આપણી બિનસ્વાસ્થ્યપ્રદ દિનચર્યા અને સતત નવા પ્રકારના રોગોને કારણે સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે, જેના કારણે હૃદયને ઘણું સહન કરવું પડે છે. આવી સ્થિતિમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે 'વિશ્વ હૃદય દિન' ઉજવવામાં આવે છે. હૃદયનું કાર્ય બધા અવયવોને ઓક્સિજન પહોંચાડવા માટે આખા શરીરમાં લોહીને પમ્પ કરવાનું છે. તે જ્યારે આ રીતે કાર્ય કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે તે હૃદયની નિષ્ફળતા તરીકે ઓળખાય છે. એવું જોવા મળ્યું છે કે આપણા બિનઆરોગ્યપ્રદ ખાન-પાનના કારણે હૃદયને સૌથી વધુ નુકસાન થાય છે. જેમાં સૌથી મોટો ફાળો આપણી નાદુરસ્ત દિનચર્યાનો પણ છે. ડૉક્ટરોના મતે, દરેક વ્યક્તિએ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે સવારે ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી જોઈએ. તેમજ તેલયુક્ત અને ચરબીયુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. અસંતુલિત આહારની સાથે સાથે ધૂમ્રપાનના કારણે હૃદય સંબંધિત રોગોમાં વધારો થઇ રહ્યો છે. આજના સમયમાં હૃદયના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે તેમજ ઘણા લોકો હૃદય સંબંધિત રોગોને કારણે મૃત્યુ પામે છે. યુવાન લોકોમાં હૃદય સંબંધિત વિકૃતિઓ પણ સામે આવી છે. આવી સ્થિતિમાં, 'વિશ્વ હૃદય દિન' દ્વારા લોકોને હૃદયને સ્વસ્થ રાખવા તેમજ હૃદય રોગનું જોખમ ઘટાડવા માટે પ્રેરિત અને જાગૃત કરવામાં આવે છે. વિશ્વમાં હૃદયના દર્દીઓના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ 'વિશ્વ હૃદય દિન' ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વર્ષ 2000 માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પ્રથમ વખત 'વિશ્વ હૃદય દિન' ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે 'વિશ્વ હૃદય દિન'ની ઉજવણી કરવામાં આવતી હતી. જોકે, 2014 થી દર વર્ષે 29 સપ્ટેમ્બર ના રોજ 'વિશ્વ હૃદય દિન'ની ઉજવણી કરવામાં આવે છે. 'વિશ્વ હૃદય દિન' નો એકમાત્ર હેતુ હૃદય સંબંધિત સમસ્યાઓ ઘટાડવા માટે લોકોમાં જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. દર વર્ષે આ દિવસે ઘણા દેશોમાં કાર્યક્રમો યોજીને લોકોને હૃદયની તંદુરસ્તી પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. હાર્ટ એટેકના લક્ષણો: (1) ચાલતી વખતે અથવા કામ કરતી વખતે છાતીમાં ભારેપણું મહેસુસ થવા લાગવું. (2) શ્વાસ ફૂલવા લાગવો. (3) ઘણીવાર જમ્યા પછી ગળામાં બળતરા થવી. (4) જમ્યા પછી છાતીમાં ભારે દુ:ખાવો થવો. (5) ચક્કર આવવા. (6) ગભરામણ થવી. (7) વધારે થાક લાગવો. (8) ખૂબ જ પરસેવો વળવો. હૃદયને તંદુરસ્ત રાખવા આટલું કરો : 1. વજન વધવા ન દો. 2. ખાંડ અને મીઠાનું સેવન ઓછું કરવું. ૩. તણાવ (સ્ટ્રેસ) મુક્ત રહો, કસરત કરો. 4. માદક / નશીલા પદાર્થનું સેવન ન કરો. આજના ભાગદોડભર્યા જીવનમાં નાની ઉંમરમાં લોકોનાં હાર્ટએટેકથી મૃત્યુ થાય છે. આ સાથે જ હૃદય (હાર્ટ)ને લગતી બીમારીઓ પણ દિવસે ને દિવસે વધતી જાય છે. આ પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. હાર્ટ એટેકની સાથે-સાથે લોકો હાઇકોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, સ્ટ્રોક જેવી અનેક બીમારીઓનો ઝડપથી શિકાર બની રહ્યા છે. આ સમયમાં શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. નારિયેળ પાણી અને વિવિધ જ્યુસનું સેવન કરવાથી તેમજ નિયમિત રીતે યોગ અને વ્યાયામ કરવાથી હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.

29th September

Read more
વિશ્વ હૃદય દિન
29th September
દર વર્ષે 29 સપ્ટેમ્બર ના રોજ 'વિશ્વ હૃદય દિન' મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં હૃદયરોગ અને તેના પ્રભાવ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. દુનિયામાં એવા કરોડો લોકો છે જે હૃદયરોગની સામે ઝઝૂમી રહ્યા છે. હૃદયએ માનવ શરીરનું મહત્વનું અંગ છે. જો હૃદય કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું મૃત્યુ થાય છે. આજના સમયમાં આપણી બિનસ્વાસ્થ્યપ્રદ દિનચર્યા અને સતત નવા પ્રકારના રોગોને કારણે સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે, જેના કારણે હૃદયને ઘણું સહન કરવું પડે છે. આવી સ્થિતિમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે 'વિશ્વ હૃદય દિન' ઉજવવામાં આવે છે.
...
Read more