બ્રિક્સ-સમિટ બાદ શી-જિનપિંગને તમ્મર?
બ્રિક્સ-સમિટ બાદ શી-જિનપિંગને તમ્મર?
Published on: 17th September, 2026

બ્રિક્સ-સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની તબિયત લથડી હતી અને તેમને તમ્મર આવ્યા હતા, જે બાદ તેઓ તાત્કાલિક ચીન પરત ફર્યા હતા. ચાઇનીઝ ડેમોક્રેટિક પાર્ટીના ચેરમેન વાનઝૂન ઝીએ આ દાવો કરતાં કહ્યું કે શી જિનપિંગને સીવીયર-સ્ટ્રોક થયો હતો. તેમણે નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ ભોજન સમારોહમાં ભાગ લીધો ન હતો અને હોટેલમાં તબીબોએ તેમની સારવાર કરી હતી. ત્યારબાદ તેઓ એરપોર્ટ પહોંચ્યા અને ખાસ પ્લેનમાં ચીન ગયા, જ્યાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા. ચીન અને ભારત બંને આ મામલે મૌન સેવી રહ્યા છે.