કોંગ્રેસનો વેધક સવાલ: "સાબરમતીમાં પાણી રોકીને અમદાવાદ ડૂબાડ્યું?"
કોંગ્રેસનો વેધક સવાલ: "સાબરમતીમાં પાણી રોકીને અમદાવાદ ડૂબાડ્યું?"
Published on: 18th September, 2026

અમદાવાદમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે સાબરમતી નદીના જળસ્તર અને વાસણા બેરેજના સંચાલનને લઈને ગુજરાત કોંગ્રેસે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના આક્ષેપ મુજબ, ભારે વરસાદની આગાહી હોવા છતાં સાબરમતી નદીનું જળસ્તર ઘટાડવાને બદલે વાસણા બેરેજમાં પાણીનું લેવલ 136.50 ફૂટ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. 'સાહેબની વર્ષગાંઠ' નિમિત્તે નદી છલોછલ દેખાય તે માટે પાણીનો સંગ્રહ કરાયો હોવાનો આક્ષેપ છે. અધિકારીઓની બેદરકારીથી માનવસર્જિત આફત સર્જાઈ હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે.